મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર ઘમાસાણ વચ્ચે ગુરુવારે (21 નવેમ્બર 2019) કોંગ્રેસ અને NCPની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. દિલ્હીમાં NCP ચીફ શરદ પવારના નિવાસ સ્થાને યોજાયેલ આ બેઠકમાં બંને પાર્ટીઓના સીનિયર નેતા હતા.
મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને કોંગ્રેસ અને NCPની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું, પવારની પાર્ટી સાથે તમામ મુદ્દા પર સહમતિ બની
ત્રણેય પાર્ટીઓની સરકાર બની તો શિવસેનાને મુખ્યમંત્રી પદ સહિત 16 મંત્રી પદ મળી શકે
જેમણે લગભગ તમામ મુદ્દા પર વાત કરી. બેઠક બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે (Prithviraj Chavan) મીડિયાને કહ્યું કે પવારની પાર્ટી સાથે તમામ મુદ્દા પર સહમતિ બની છે. જ્યારે શુક્રવારે (22 નવેમ્બર 2019) શિવસેનાની સાથે ત્રણેય પાર્ટીઓની મુલાકાત થશે.
આ દરમિયાન સૂત્રોના હવાલાથી 'News 24'એ જણાવ્યું કે, જો ત્રણેય પાર્ટીઓની સરકાર બની તો તેમા શિવસેનાને મુખ્યમંત્રી પદ સહિત 16 મંત્રી પદ મળી શકે છે. ત્યારે એનસીપીની પાસે 15 અને કોંગ્રેસના ખાતામાં 12 મંત્રી પોસ્ટ જઇ શકે છે.
આ ફોર્મૂલા હેઠળ બે ડેપ્યૂટી CM હશે. જેમા એક કોંગ્રેસનો રહેશે, જ્યારે બીજો ડેપ્યૂટી સીએમ NCPનો બનશે. મુખ્યમંત્રી પદની વાત કરીએ તો, તે શિવસેનાની પાસે જશે. કેટલીક અન્ય રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવી શકાય તેમ છે. જ્યારે પુત્ર આદિત્ય ઠાકરેને શિક્ષણ મંત્રી બનાવી શકે છે. જોકે, આ સંદર્ભમાં કોઇ સત્તાવાર પુષ્ટી કરાઇ નથી.
કેબિનેટમાં આ ચહેરાઓના સામેલ થવાની સંભાવના
ઉદ્ધવ ઠાકરે - મુખ્યમંત્રી
આદિત્ય ઠાકરે - શિક્ષણ મંત્રી
અજિત પવાર - ગૃહ મંત્રી
જયંત પાટિલ - નાણા મંત્રી
છગન ભૂજબલ - PwD મંત્રી
આ ઉપરાંત નવાબ મલિક, એકનાથ શિંદે, સુભાષ દેસાઇ અને બાલાસાહબ થોરાટને પણ મંત્રી પદ મળી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઇ-ભાષાએ કોંગ્રેસી સૂત્રોના હવાલાથી કહ્યું કે, શુક્રવાર સુધી મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર અંતિમ નિર્ણય આવવાની સંભાવના છે.