કોરોનાની વેક્સિન ખૂટી પડતા ઓડિશામાં 1700 1400 રસીકરણ કેન્દ્રોમાંથી 700 બંધ કરવાની નોબત આવી છે.
ઓડિશામાં કોરોનાની રસીનો સ્ટોક ખૂટ્યો
1400 માંથી 700 સેન્ટર બંધ કરવા પડ્યાં
મહારાષ્ટ્રમાં 109 સેન્ટરોને બંધ કરવા પડ્યાં
ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસે કેન્દ્ર સરકારને પત્ર પાઠવીને વેક્સિનનો સ્ટોક ખૂટ્યો હોવાની જાણ કરી છે.
કિશોર દાસે જણાવ્યું કે ઘણે ઠેકાણે રસીકરણનું કામ અટકાવી દેવાયું છે. અમારી પાસે ફક્ત બે દિવસ ચાલે તેટલો સ્ટોક બચ્યો છે. એટલે જો હવે નવો સ્ટોક ન મળે તો આખા રાજ્યમાં રસીકરણ બંધ કરી દેવું પડશે.
મંત્રીએ જણાવ્યું કે હાલમા અમારી પાસે 5.34 લાખ વેક્સિનના ડોઝ છે. રાજ્યમાં દરરોજ અઢી લાખ ડોઝ અપાઈ રહ્યાં છે. અમે કેન્દ્ર સરકારને ઓછામાં ઓછા 25 લાખ ડોઝ આપવાની વિનંતી કરી છે. પરંતુ કેન્દ્ર સરકારે અમારી વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી.
મહારાષ્ટ્રમાં નબળું પડી રહ્યું છે વેક્સીનેશન
મહારાષ્ટ્રમાં પણ કોરોના વેક્સિનનો સ્ટોક ખૂડી પડતા 109 સેન્ટરોને બંધ કરવા પડ્યાં છે. લોકસભા સાંસદ સુપ્રીયા સુલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં 109 સેન્ટરોને બંધ કરી દેવાયા છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યું કે રાજ્યમાં વેક્સીનની અછત છે. તેઓએ સરકાર પાસેથી 20 લાખ કોરોના વેક્સીનના ડોઝની માંગણી કરી છે અને કહ્યું કે કેન્દ્ર સરકાર અમને સમયસર વેક્સીન આપે. તેઓએ એમ પણ કહ્યું કે જે પણ ગાઈડલાઈન્સ કેન્દ્રની તરફથી આવી હતી તેનું પાલન થઈ રહ્યું છે. સંખ્યા વધી રહી છે અને વેક્સીનની અછત થઈ રહી છે.
20-40 વર્ષના લોકોને વેક્સીન લગાવવાની પરમિશન મળે
રાજેશ ટોપેએ કહ્યું કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની વેક્સીનનો સ્ટોક મેચ 3 દિવસનો બચ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વેક્સીનના 14 લાખ ડોઝ ઉપલબ્ધ છે. આ સ્ટોક 3 દિવસ ચાલશે અને પછી ખતમ થશે. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દર અઠવાડિયે કોરોના વેક્સીનની 40 લાખ ડોઝની જરૂર રહે છે. તેઓએ કહ્યું કે ઘરથી બહાર કામકાજ માટે જનારા 20-40 વર્શના લોકો હોય છે. એવામાં કેન્દ્ર સરકારને માંગ છે કે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન લગાવવાની પરમિશન અપાય.