મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારી લોકોને ડરાવી રહી છે. આ સમયે બેકાબૂ સંક્રમણ પર લગામ લગાવવા ઉદ્ધવ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યો છે તો સાથે પૂરા રાજ્યમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રવિવારે મંત્રિમંડળની બેઠક બોલાવી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતથી 30 એપ્રિલ સુધી સપ્તાહનું અંત સુધી લોકડાઉન અને અનેક સખત નિયમોની પાબંધીની જાહેરાત કરી હતી. વીકેન્ડ લોકડાઉન શુક્રવાર રાતના 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે. જેમાં કેટલીક ખાસ સેવાઓ નિયમો અનુસાર ચાલુ રહેશે.
#COVID19: Maharashtra government imposes weekend lockdown from 8 pm on Friday till 7 am on Monday; visuals from Marine Lines and Marine Drive in Mumbai. pic.twitter.com/Og1B097QLB
બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન પર ભાર મૂક્યો હતો. જો કે મંત્રિમંડળે તેનો ઈન્કાર કર્યો હતો. આ પછી નિર્ણય લેવાયો કે શનિવાર અને રવિવારે લોકડાઉન લગાવાશે. જ્યારે વીકેન્ડ લોકડાઉનને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો છે કે 2 દિવસમાં કઈ સેવાઓ પર પાબંધી રહેશે અને કઈ ચીજોની છૂટ રહેશે. તો જાણો તમામ વાતો.
ફિલ્મોનું શૂટિંગ રોકવામાં આવશે નહીં પણ થિએટર, રેસ્ટોરન્ટ, મોલ અને બાર સંપૂર્ણ બંધ રહેશે.
ગાર્ડન અને પ્લે ગ્રાઉન્ડ બંધ રહેશે. ફક્ત અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
જે ફિલ્મો અને સીરિયલના શૂટિંગમાં આર્ટિસ્ટ અને કર્મચારીની જરૂર હશે તેમને શૂટિંગની પરમિશન મળશે નહીં.
ઈન્ડસ્ટ્રી અને પ્રોડક્શન સેક્ટર, શાક માર્કેટ એસઓપી અનુસાર કામ કરશે.
કન્સ્ટ્રક્શનના સામાન વેચનારી દુકાનો બંધ રહેશે. આ સાથે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામદારોને રહેવાની સુવિધા અપાશે.
દરેક ડીમાર્ટ, બિગ બજાર, રિલાયન્સ માર્કેટ અને અન્ય સુપર માર્કેટ ખુલ્લા રહેશે અને જરૂરી સામાન સવારે 7થી રાતના 8 વાગ્યા સુધી વેચી શકશે.
એપીએમસી માર્કેટમાં પણ જરૂરી સામાન વેચી શકાશે.
વાહનોના રિપેરિંગના ગેરેજ ખુલ્લા રહેશે. કોરોના નિયમના આધારે કામ ચાલુ રહેશે. પણ દુકાનો બંધ રહેશે.
લોકો શરાબ ખરીદી શકે છે અને હોમ ડિલિવરી મંગાવી શકે છે પણ દુકાન પર બેસીને પી શકશે નહીં.
રોડ સાઈડના ઢાબા ખુલ્લા રાખી શકાશે પણ ખાવાનું વેચી શકાશે. ત્યાં બેસીને તમે ખાઈ શકશો નહીં.
વીકેન્ડ લોકડાઉનના સમયે ઈલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સીસની દુકાનો બંધ રહેશે.
ટેલિકમ્યુનિકેશન સેવાઓની દરેક દુકાનો બંધ રહેશે.