રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકનો આજરોજ મળી હતી. જેમા મહંત નૃત્ય ગોપાલદાસ ટ્રસ્ટના અધ્યક્ષ રહેશે, જ્યારે વીએચપી નેતા ચંપત રાયને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રાને મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરી હશે. આ બેઠકમાં 9 ઠરાવો પસાર થયા છે.
રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસે જણાવ્યું છે કે અત્યારે જ્યાં રામલલા બિરાજમાન છે, તે ગર્ભગૃહ છે, પરંતુ મંદિર નિર્માણ માટે આ જગ્યા ખાલી કરવી પડશે અને તેથી રામલલાને 150 મીટર દૂર આવેલા માનસ મંદિરમાં રાખવામાં આવશે. કામચલાઉ ધોરણે મંદિર બનાવીને ત્યાં રામલલાની પૂજા-અર્ચના કરવામાં આવશે.
મંદિર ન બને ત્યાં સુધી રામલલાને બુલેટપ્રુફ કોટેજમાં રાખવામાં આવશે
અયોધ્યામાં ભગવાન રામલલાને પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવશે. ભગવાન રામલલાને બુલેટપ્રુફ કોટેજમાં રખાશે. જ્યાં સુધી મંદિર નહી બને ત્યા સુધી ભગવાનને બુલેટપ્રુફ કોટેજમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. સાથે જ મંદિર નિર્માણ માટે 4 શુભ મૂહુર્ત પર પણ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. તો આગામી 2 માસના 4 શુભ મૂહુર્ત પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
First meeting of the Ram Mandir Trust; Nitya Gopal Das named President of the Trust https://t.co/6S7jl4Ag3x