બિહારમાં મહાગઠબંધન પક્ષોમાં બેઠકોની વહેચણીને મુદ્દે ઉત્સુકતા વધી ગઈ છે. આજે દિલ્લીમાં મહાગઠબંધન પક્ષોની એક બેઠક દિલ્લીમાં યોજાઈ છે. જેમાં ભાગ લેવા અનેક પક્ષોના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે.
બિહારથી તેજસ્વી યાદવ અને જીતનરામ માંઝી પણ સામેલ થશે. તો ઉપેન્દ્ર કુશવાહા પણ પોતાના તમામ કાર્યક્રમો પડતા મૂકીને છાના પગલે દિલ્લી રવાના થયા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિમાં આજે બપોરે દોઢ વાગે મહાગઠબંધનની બેઠક મળશે.
જેમાં સીટ શેરિંગના મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે. કારણકે બિહારમાં છેલ્લા કેટલાક સમયથી મહાગઠબંધનન બેઠકો વચ્ચે સીટની વહેચણીને લીને ખેંચતાણ ચાલી રહી છે. બધા જ પક્ષો પોતપોતાના અનુસાર બેઠકોનો દાવો કરી રહી છે.
ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે આર.જે.ડી. એક સરખી બેઠકોનો દાવો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ હવે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લોકસભા ચૂંટણી પહેલા જ ગઠબંધનની તૈયારીઓ ચાલી રહી છે. જેની શરૂઆત બિહારથી શરૂ થઇ રહી છે. બિહારને લઇને મહાગઠબંધનનમાં આજે કોઇ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
જો કે આજની મહાગઠબંધનની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેશે કે નહીં તે અંગે હજુ સુધી જાણવા મળેલ નથી. જોકે આજની બેઠકમાં કોંગ્રેસ-આરજેડી એકસાથે ચૂંટણી લડશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.