4 ઓક્ટોબરે મહાનવમી છે. નોમે માં સિદ્ધીદાત્રીની પૂજા, હવન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જાણો આ દિવસનુ મુહૂર્ત, યોગ, ભોગ અને પૂજા વિધિ.
4 ઓક્ટોબરે મહાનવમી
માં સિદ્ધીદાત્રીની પૂજા, હવન કરવાથી થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ
આરતી કરી 9 કન્યાઓની વિધિવત પૂજા કરો
નોમે માતાની પૂજા, હવન કરવાથી થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ
નવરાત્રીની મહાનવમી શક્તિ સાધનાનો છેલ્લો દિવસ હોય છે. 4 ઓક્ટોબરે મહાનવમી છે. દુર્ગા નવમીના દિવસે માં સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો કન્યા પૂજન કરી શુભ મુહૂર્તમાં હવન કરે છે અને પછી વ્રતના પારણા કરવામાં આવે છે. મહાનવમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો, તેથી તેમને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે. કહેવાય છે, નોમે માતાની પૂજા, મંત્ર જાપ, હવન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નવરાત્રીની મહાનવમી આ વખતે ખૂબ ખાસ મનાઈ રહી છે, કારણકે આ દિવસે ખાસ યોગ બની રહ્યો છે. 5 ઓક્ટોબરે દશેરાના દિવસે દેવીનુ વિસર્જન કરીને તેમને વિદાય આપવામાં આવશે. આવો જાણીએ મહાનવમીની પૂજા વિધિ.
માં સિદ્ધીદાત્રીનો મહિમા
કમળ પર બિરાજમાન દેવી સિદ્ધીદાત્રીની ચાર ભુજાઓ છે, જેમાં ગદા, કમળ, શંખ અને સુદર્શન ચક્ર વિદ્યમાન છે. માન્યતા છે કે માં દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધીદાત્રીની પૂર્ણ શ્રદ્ધાથી આરાધના કરવાથી અષ્ટ સિદ્ધી અને નવ નિધિ, બુદ્ધી અને વિવેકની પ્રાપ્તિ થાય છે. ગંધર્વ, કિન્નર, નાગ, યક્ષ, દેવી-દેવતા અને મનુષ્ય બધા તેની કૃપાથી સિદ્ધીઓને પ્રાપ્ત કરે છે.
નવરાત્રી નોમ 2022 માં સિદ્ધીદાત્રીની પૂજા
માં સિદ્ધીદાત્રી પોતાના નામ સ્વરૂપ અષ્ટ સિદ્ધીઓ પ્રદાન કરનારી દેવી માનવામાં આવી છે. નોમની પૂજામાં દેવી સિદ્ધીદાત્રીને નવ કમળના ફૂલ અથવા માત્ર ચંપાના પુષ્પ પણ અર્પણ કરી શકાય છે. કન્યા ભોજમાં બનતા પ્રસાદનો ભોગ ધરાવો. ચાર મુખવાળો દીવો લગાવીને મંત્રોના જાપ કરો અને આરતી કરી 9 કન્યાઓની વિધિવત પૂજા કરો. ત્યારબાદ શુભ મુહૂર્તમાં હવન કરો અને પછી નોમ પૂર્ણ થતા વ્રતના પારણા કરો.
માં સિદ્ધીદાત્રી પ્રિય ભોગ ફૂલ
માં સિદ્ધીદાત્રીને ચણા, પૂરી, હલવાનો પ્રસાદ વધુ પ્રિય છે. નોમના દિવસે અહીં ભોજન કન્યાઓને પણ ખવડાવવામાં આવે છે. દેવીને ચંપા, કમળ અથવા ગુડહળનુ ફૂલ અર્પણ કરો. તેનાથી પરિવારમાં ખુશી આવશે.