બાગેશ્વર ધામ પ્રત્યેની અતૂટ ભક્તિ એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ, મહિલાનો પતિ તેને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં ન લઈ જઈ શક્યો તો ગુસ્સામાં આવીને મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બાગેશ્વર ધામ પ્રત્યેની અતૂટ ભક્તિ એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ
મહિલાનો પતિ તેને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં ન લઈ જઈ શક્યો
ગુસ્સામાં આવીને મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
મધ્યપ્રદેશના જબલપુરમાં બાગેશ્વર ધામ પ્રત્યેની અતૂટ ભક્તિ એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ છે. જબલપુરમાં રહેતી મહિલા પલ્લવી ચૌધરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હટી અને તેની પાછળનું કારણ કઈંક એવું હતું જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જણાવી દઈએ કે એ મહિલાનો પતિ તેને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં લઈ જઈ શક્યો ન હતો અને એ બાદ મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ પલ્લવીને બે માસૂમ બાળકો પણ છે.
જણાવી દઈએ કે સંદીપ ચૌધરી તેની પત્ની પલ્લવી, બે બાળકો અને તેની માતા સાથે રહેતો હતો. સંદીપનીવૃદ્ધ માતાને ગંભીર બીમારી છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નથી. સંદીપ કોઈ પણ રીતે કમાઈને બે બાળકોને ભણાવી રહ્યો છે અને તેની બીમાર માતાની સારવાર કરાવી રહ્યો છે. સંદીપની પત્ની પલ્લવી ચૌધરી રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનો સાંભળતી અને ઘરની સમસ્યાઓનો અંત લાવવા ધીરેન્દ્ર શાસ્ત્રી જે કહે તે માનતી હતી.
વાત એમ બની કે 27 માર્ચે પલ્લવીએ તેના પતિને આગ્રહ કર્યો કે પનગરમાં યોજાનારી ધીરેન્દ્ર શાસ્ત્રીની ભાગવત કથામાં જવું છે પણ તે દિવસે સંદીપ તેની બીમાર માતાને હોસ્પિટલ લઈ જવાનો હતો અને હોસ્પિટલમાં તેને મોડું થઈ ગયું તો બીજી તરફ ઘરે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનમાં જવાની રાહ જોઈ રહેલી પલ્લવીએ ગુસ્સામાં આવીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જો કે ઘટના બાદ તરત જ પડોશીઓ સાથે મળીને ઘરનો દરવાજો તોડ્યો અને પલ્લવીને લટકતી જોઈને પોલીસને જાણ કરી હતી અને હાલ તપાસ શરૂ કરી છે.