બનાસકાંઠાના વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાવ ખાતે કોંગી ધારાસભ્ય શિવા ભુરીયાનુ નિવેદન
વાવ અને થરાદ બેઠકમાં કોંગ્રેસનો વિજય થશે: MLA
દેશમાં લોકશાહી રાખવી હોય તો સરકાર બદલજો: MLA
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા મિટિંગ અને રણનીતિનો દૌર શરૂ કરાયો છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ નિવેદન આપી જણાવ્યુ હતું કે લોકશાહીને જીવંત રાખવી હોય તો આગામી ચુંટણીમાં સરકાર બદલવી જરૂરી છે.
લોકશાહી રાખવી હોય તો સરકાર બદલજો: શિવા ભુરીયા
ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022 ને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવી છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ બેઠક, પ્રચાર-પ્રસારની કામગીરી તેજ બનાવી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા રાજકીય પક્ષોના આગેવાનો-કાર્યકરો અત્યારથી રાજકીય વાઘા સજાવી લીધા છે. ત્યારે વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભા યોજાઇ હતી. આ તકે દિયોદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. સભા સંબોધન વેળાએ શિવા ભુરીયાએ જણાવ્યુ હતું કે, ચૂંટણી આવે એટલે બેઠકોનો દૌર શરૂ થઇ જાય છે પરંતુ મતદાન વેળાએ ભાજપનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવે છે.
વાવ અને થરાદ બેઠકમાં કોંગ્રેસનો વિજય થશે: MLA
વધુમાં શિવા ભુરીયાએ જણાવ્યુ હતું કે, હારનું ઠીકરું મશીન પર ફોડતા હોઈએ છીએ પણ ચુંટણીમાં ઇવીએમ મશીન ખોટા નથી હોતા કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે. આથી હવે આગામી ચૂંટણીમાં જાગૃત બનીએ અને દેશમાં લોકશાહી રાખવી હોય તો આ સરકાર બદલવા લોકોને ટકોર કરી હતી. બીજી તરફ વાવ અને થરાદ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો જ વિજય થશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.