600 વર્ષ જૂના માતાના મઢ તરીકે જાણીતા કચ્છના આશાપુરા મંદિરના દર્શને ગુજરાતીઓ જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો આવે છે. માતાના મઢનું મહત્વ ઘણું રહેલું છે. હાલના ગૃહપ્રધાન અને વડાપ્રધાન પણ માતાન ચરણોમાં પોતાનું શિશ ઝુકાવી ચુક્યા છે.
સંતાનની ઈચ્છા પૂરી કરે છે મા આશાપુરા
આ જ્ઞાતિના લોકો કુળદેવી તરીકે પૂજે છે
માની મૂર્તિ અધુરી છે
કચ્છમાં ભુજથી 105 કિલોમીટર દૂર આવેલ માતાનો મઢ દેશવિદેશણાં ખ્યાતી ધરાવે છે. કેટલાક ગુજરાતીઓ જ નહીં પરંતુ રાજસ્થાનીઓની પણ મા આશાપુરા કુળદેવી છે. માતાના મઢની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. વળી તેમની આંખો પણ અનોખી છે. ભૂકંપ વખતે આ મંદિરને નુકસાન થયું હતુ પણ યુદ્ધના ધોરણે ભક્તોએ મંદિરનું નવીની કરણ કરી દીધુ છે.
સંતાનની ઈચ્છા પૂરી કરે છે મા આશાપુરા
ધન-વૈભવમાં આળોટતા ઘણા દંપત્તિને ઘેર સંતાનસુખ ન હોય તો મા આશાપુરાના આર્શિવાદ અને ભક્તોની આસ્થાએ તેમની શેરમાટીની ખોટ પુરાયાના દાખલા છે જેને કારણે ઘણા દંપત્તિ નિયમિત કા તો આજીવન વર્ષે એકવાર માના દર્શને જરૂર આવે છે.
આ જ્ઞાતિના લોકો કુળદેવી તરીકે પૂજે છે
રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રમાંથી કેટલાક લોકો નિયમિત માતાના મઢે દર્શને આવે છે. ચૌહાણ, જાડેજા રાજપૂતો, કચ્છ રજવાડું, નવાનગર રજવાડું , રાજકોટ , મોરબી , ગોંડલ રાજ્ય અને ધ્રોલ એટલે કે, બારીયા રજવાડુંના. રાજવંશો તેમને કુળદેવી માને છે. સિંધી સમુદાયના ખીચડા કુળના લોકો આશુપુરા માતાની કુળદેવી તરીકે પૂજા કરે છે. ગુજરાત જુનાગઢના દેવચંદાની પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. તો વળી ગુજરાત જુનાગઢના દેવચંદાની પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. રાજકોટ, ધ્રાફા, સુરતના રઘુવંશી લોહણાઓનો સોઢા તરીકે ઓળખાતો સમુદાય પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. બિલોર જેવા બ્રાહ્મણ જ્ઞાતિઓ, ગૌર [લાટ], ઠાંકી, પંડિત અને દવે પુષ્કર્ણા, સોમપુરા સલાટ પણ તેમને તરીકે પૂજે છે. વૈષ્ય સમુદાયમાં, જેમ કે વિજયવર્ગીય જ્ઞાતિ તેમની પૂજા કરે છે. બ્રહ્મ ક્ષત્રિ જાતિ પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે.
શું છે વાયકા?
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી.
મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં
વાણીયાની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં.
પાંચ મહિનામાં વાણિયાએ દ્વારા ખોલી નાંખ્યા
વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે.
માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું
પાંચ મહિને દ્વાર ખોલી નાંખવાને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું. જેને લીધે મૂર્તિનું નિર્માણ અધુરૂ રહી ગયું.