બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / lucky plants for home planting these plants at home will bring blessings

Lucky Plants / ઘરનાં આંગણે આ છોડને લગાવવાથી આવશે સુખ-સમૃદ્ધિ, આસપાસ પણ નહીં ભટકે નકારાત્મક્તા

Arohi

Last Updated: 05:55 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા છોડ છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવો જાણીએ આ છોડ કયા છે.

  • ઘરમાં લગાવો આ છોડ 
  • નકારાત્મક્તા રહેશે દૂર 
  • સુખ-સમૃદ્ધિ આવશે પાસે 

છોડ અને ફૂલો ઘરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. છોડ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તેઓ ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. આજકાલ ઘણા લોકો પોતાની ઓફિસના ડેસ્ક પર પણ પ્લાન્ટ પોટ રાખે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્લાન્ટ વાવતી વખતે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ દરમિયાન છોડ વાતાવરણને શુદ્ધ કરવાની સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરની સુંદરતા અને હરિયાળી વધારવાની સાથે જો તમે ભાગ્યના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો ઘરમાં લગાવો આ છોડ.

મની પ્લાન્ટ
મની પ્લાન્ટ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તે સારા નસીબને આકર્ષે છે. તમે તેને ભેટ તરીકે પણ આપી શકો છો.

વાંસનો છોડ
ઘરમાં વાંસનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તેને ઉત્તર દિશામાં મૂકી શકો છો. આ છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

શમીનો છોડ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શમીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી ક્યારેય પૈસા અને અનાજની કમી નથી થતી. શનિ દોષને દૂર કરવા માટે તમે આ છોડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

હળદરનો છોડ
હળદરનો છોડ તેના ગુણોને કારણે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. તેને ઘરે લગાવવાથી આશીર્વાદ મળે છે. તેની નિયમિત પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

તુલસીનો છોડ
તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી તમામ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

જેડ છોડ
જેડનો છોડ ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડ પૈસાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેને ઘરના પ્રવેશદ્વારની અંદર લગાવી શકાય છે.

આ બાબતો ધ્યાનમાં રાખો
તમારા રૂમમાં કે જ્યાં તમે કામ કરો છો ત્યાં કેક્ટસના છોડ ન રાખો. જૂના ફૂલોના પાંદડા સુકાઈ જાય અથવા પાંખડીઓ સુકાઈ જાય ત્યારે તેને ફેંકી દો. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ