ઉત્તર પ્રદેશના હરદોઇ પાસે લખનઉથી નવી દિલ્હી જઇ રહેલ લખનઉ મેલના એસી કોચમાં આગનો બનાવ બન્યો છે. આગ એસી કોચના નિચેના ભાગમાં લાગી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. એસી કોચમાં આગ લાગવાથી યાત્રીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. કોચમાં બેસેલા મુસાફરો ઝડપથી બહાર નીકળવા દોડાદોડી કરતા જોવા મળ્યાં. જો કે જેને લઇને કોચ તેમજ રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો.
લખનઉ મેલના એસી કોચમાં આગનો બનાવ
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
અંદાજે સવા કલાક બાદ ટ્રેનને રવાના કરાઇ
જો કે લખનઉ મેલના એસી કોચમાં આગ લાગી હોવાની જાણકારી મળતાં રેલવેની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગને લઇને ટ્રેન અંદાજે દોઢ કલાક ઉભી રહી હતી અને ત્યારબાદ રવાના થઇ હતી.
હરદોઇ રેલવે સ્ટેશન પર લખનઉથી દિલ્હી જઇ રહેલ લખનઉ મેલના AC B5 કોચની નીચેથી ધુમાડો નિકળવા લાગ્યો હતો. જ્યારે લોકોએ નીચે નમીને જોયું તો ટ્રેનની હોટ એક્સલ ફાયર થઇ રહી હતી. ત્યાર બાદ સ્ટેશન પર તેમજ ટ્રેન પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. કોચમાં રહેલા યાત્રીઓ અફરાતફરી કરીને બહાર નીકળવા લાગ્યા હતા.
જો કે ઘટનાની જાણકારી મળતાં રેલવેની ટેકનિકલ ટીમ ફાયર બ્રિગેડની ટીમ લઇને ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ આગ પર કાબૂ મેળવ્યા બાદ અંદાજે 11-43 મીનિટ પર પહોંચેલ લખનઉ મેલને ત્યાર બાદ ટ્રેનની ટેકનિકલ ટીમે ચેક કરીને અંદાજે સવા કલાક બાદ ટ્રેનને રવાના કરી દીધી.