દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અનલોક વન બાદથી કોરોના દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે સરકારે કોરોના વાયરસના લક્ષણોમાં બે નવા લક્ષણોનો સમાવેશ કર્યો છે. અને આ લક્ષણોમાં પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરવાનો રહેશે.
સૂંઘવાની ક્ષમતા ઘટવી એ કોરોનાનું લક્ષણ
સ્વાદની ઓળખ ન થવા પર પણ હોઈ શકે છે કોરોના
કોરોના વાયરસના લક્ષણોમાં કુલ 15 ક્લિનિકલ લક્ષણ થયા
લક્ષણો યાદીમાં બીજા બેનો ઉમેરો
ભારતનાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના લક્ષણોની યાદીમાં સૂંઘવાની ક્ષમતા ઘટી જવી અને સ્વાદની ઓળખ ન થઇ શકવાને પણ સામેલ કર્યા છે. હાલમાં કોરોના વાયરસનાં કુલ 13 ક્લિનિકલ લક્ષણો છે જેમાં હવે બીજા બેનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ લક્ષણ હોય તો હોઈ શકે છે કોરોના
ભારત સરકાર અનુસાર કોરોના વાયરસનાં લક્ષણોમાં તવા, ઉધરસ, ઝાડા, પેટદર્દ, શ્વાસ ચડવો, શરીર દર્દ, ગાળામાં ખારાશ, છાતીમાં દુખાવો, નાકમાંથી પાણી નીકળવું છે. જો આવા કોઈ લક્ષણો દર્દીમાં હોય તો તેને કોરોના વાયરસનો ટેસ્ટ કરવાનો આગ્રહ કરવામાં આવે છે જેમાં હવે બીજા બે લક્ષણોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
ક્યારે થાય છે ટેસ્ટ
નોધનીય છે કે શરૂઆતમાં અમેરિકાની રાષ્ટ્રિય લોક સ્વાસ્થ્ય સંસ્થાએ આ લક્ષણોને કોરોના વાયરસના લક્ષણ ગણાવ્યા હતા. ભારતમાં કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ ઇન્ફ્લુએન્ઝા બીમારી જેવા લક્ષણો ધરાવતા લોકો, અન્ય રાજ્યથી પાછા આવેલ લોકો અને પ્રવાસીઓમાં આવા લક્ષણો જોવા મળે તો સાત દિવસમાં જ તેમનો ટેસ્ટ કરવો જરૂરી છે.
ICMRની ગાઈડલાઈન મુજબ કોરોના સામે જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓમાં જો ILI જેવા લક્ષણો વિકસિત થાય છે તો RT-PCR કોરોના ટેસ્ટ કરવો પડશે. કોરોના વાયરસ દર્દીઓના સંપર્કમાં આવેલ લોકો જેમનામાં લક્ષણ નથી દેખાતા તે અને હાઈરિસ્ક જોખમ ધરાવતા લોકોના સંપર્કમાં આવેલ લોકોના 10 દિવસમાં ટેસ્ટ કરાવવાના રહેશે.