અનેક સ્ત્રીઓના જીવનમાં રામે અનન્ય ભાગ ભજવ્યો હતો. સીતા માતા તો ખરાજ પણ તે સિવાય શબરી અહલ્યા જેવી અનેક સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો.
આમ છતાં તેમના સમગ્ર જીવનમાં એક એવી ઘટના બની હતી કે જેમાં તેમણે એક સ્ત્રીનો વધ કર્યો હતો. આ વધ રધુકૂળની રીતથી અને ક્ષત્રીય ધર્મથી તદ્દન વિપરિત વાત હતી. ભગવાન શ્રીરામ પોતાના નાના ભાઈ લક્ષ્મણ અને ગુરુ વિશ્વાવિત્ર સાથે જઈ રહ્યાં હતા.
રસ્તામાં નિર્જન સ્થાન પર મોટાં ભયાનક પદ ચિહ્ન જોવા મળતાં તેમણે પોતાના ગુરુને પૂછ્યું કે ગુરુદેવ આ સ્થાન તો ભારે ભયાનક હોય તેવું લાગે છે. આ નિર્જન વનમાં આવા વિશાળ પદ ચિહ્ન કોના છે. ત્યારે ગુરુદેવે જણાવ્યું કે 6 કોસ સુધી ફેલાયેલા આ નિર્જન સ્થાન પર કેવળ એક રાક્ષસી તાડકાનો અધિકાર છે.
આ તાડકાવન કહેવાય છે. અહિં આવનારા કોઈ પણ મનુષ્યને તે જીવિત જવા દેતી નથી. ગુરુદેવે વધુંમાં કહ્યું કે આ સ્થાન બહુંજ સુંદર અને લોકભોગ્ય હતું. કલદ અને કરુષ નામના બે વિશાળ નગર અહિંની સમૃદ્ધિની ગાથા ગાતા હતા.
ત્યારબાદ અગસ્ત્ય મુનિના શ્રાપથી રાક્ષસી બનેલી તાડકા અને તેના પુત્ર મરીચની વિનાશલીલાને કારણે આ રાજ્ય ઉજ્જડ થઈ ગયું. તાડકામાં હજાર હાથીઓનું બળ હતું. તાડકા પોતાની માયવી શક્તિથી કોઈ પણ રૂપ ધારણ કરી શકતી હતી.ત્યારે રામે કહ્યું કે ગુરુદેવ મહિલાઓતો બહુંજ કોમળ હૃદયની હોય છે.
તો પછી તાડકામાં આમ કેમ શું તેની પાછળ કોઈ રહસ્ય છૂપાયેલું છે. ત્યારે ગુરુદેવે શ્રીરામને તાડકાનો ભૂતકાળ કહી સંભળાવ્યો. ગુરુદેવ વિશ્વામિત્રે રામને કહ્યું કે સુકેતુ નામનો એક અત્યંત બળવાન યક્ષ હતો. તેને કોઈ સંતાન ન હતું.
સંતાન પ્રાપ્તિના ઉદેશ્યથી તેમણે બ્રહ્માજીની કઠોર ઉપાસના કરી. બ્રહ્માજીએ તેમને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. પછી તેના ઘરે તાડકાનો જન્મ થયો. સુકેતુ ઈચ્છતો હતો કે તેની સંતાન અતિ બળવાન થાય. તેથી બ્રહ્માજીએ તાડકામાં હજાર હાથીઓ જેટલું બળ આપ્યું. જ્યારે તાડકા વિવાહ લાયક ઉંમરે પહોંચી ત્યારે સુકેતુએ તાડકાના વિવાહ સુંદ નામના રાક્ષસ સાથે કરી દીધાં.
સુંદ થકી તાડકાને મરીચ નામનો પુત્ર થયો. તે પણ પોતાની માતા સમાન બળવાન અને પરાક્રમી હતો. મરીચ સુદ રાક્ષસનો પુત્ર હોવા છતાં પણ રાક્ષસ ન હતો.
પછી બાળ અવસ્થામાં ભારે ઉત્પાતિયો અને ઉપદ્રવી હતો. તે ઋષિ મુનિઓને અ કારણ જ કષ્ટ દેતો હતો. મરીચના ત્રાસથી ત્રસ્ત થઈને એક દિવસ અગસ્ત્ય મુનિએ તેને રાક્ષસ થવાનો શ્રાપ આપી દીધો. પોતાના પુત્રને રાક્ષસ ગતિ પ્રાપ્ત થતાં સુંદને બહું જ ક્રોધ આવ્યો. તે અગસ્ત્ય ઋષિની હત્યા કરવાના ઈરાદે મારવા દોડ્યો.
ત્યારે અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપીને તેને તત્કાળ ભસ્મ કરી નાંખ્યો. પોતાના પતિના મોતનો બદલો લેવા તાડકા પણ અગસ્ત્ય ઋષિને મારવા માટે દોડી. એથી અગસ્ત્યે તેને કુરુપ થવાનો શ્રાપ આપી દીધો.
પોતાનો કુરુપ ચહેરો જોઈને અને પોતાના પતિના મોતને લઈને તાડકાએ અગસ્ત્ય ઋષિનો આશ્રમ નષ્ટ કરી દેવા સંકલ્પ કર્યો. એવામાં શ્રીરામને તાડકાનો ભેટો થયો. તે સમયે તેમને ગુરુ વશિષ્ઠે કીધેલા શબ્દો યાદ આવ્યા. તેમણે કહ્યું હતું કે હે રામ હું તને આજ્ઞા આપું છું કે તું તાડકાનો વધ કરી દે. તારા સિવાય કોઈ તેનો વધ નહિં કરી શકે.
પોતાના મનમાંથી એ વિચાર કાઢી નાંખ કે એ સ્ત્રી છે. સ્ત્રીનો વધ ન કરવો જોઈએ. સ્ત્રીના રૂપમાં તાડકા ઘોર પાપ છે અને પાપને નષ્ટ કરવામાં કોઈ પાપ નથી હોતું. ત્યારે શ્રીરામે કહ્યું કે મારા પિતાનો આદેશ છે કે હું તમારી તમામ આજ્ઞાનું પાલન કરું. તમારા આદેશને પગલે આ દુષ્ટની જીવનલીલા સમાપ્ત કરું છું.
ત્યારબાદ શ્રીરામે એક જ બાણથી રાક્ષસી તાડકા પર છોડ્યું અને પળવારમાં તેના પ્રાણ હરી લીધાં. તાડકાના ત્રાસથી તેમણે તમામ માનવજાતને ઉગારી.