જોધા અકબર અને યે હૈ મોહાબ્બતે ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહ રાજાવતની મુશ્કેલીઓ વધી ગઇ છે. પહેલા તેઓ આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યાં હતા અને હવે તેમના પગ કાપવા પડ્યા છે.
જોધા અકબર ફેમ એક્ટર મુશ્કેલીમાં
ડાયબિટીસના કારણે કાપવા પડ્યા પગ
પૈસાની તંગીથી પીડાઇ રહ્યો છે એક્ટર
લોકેન્દ્રનું કહેવું છે કે મધુપ્રમેહને ક્યારેય પણ ઇગ્નોર ન કરવું. કોવિડ પેન્ડામિક બાદથી જ એક્ટર આર્થિક તંગીથી ગુજરી રહ્યાં હતા અને ડાયબિટીઝના કારણે તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઇ હતી.
પગ કાપવા પડ્યા
લોકેન્દ્ર સિંહ રાજાવતનું સ્ટ્રેસ લેવલ વધવાના કારણે તેમનું ડાયબિટીસ પણ વધી ગયુ હતુ અને તેના કારણે પગ ગુમાવવાનો વારો આવ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, હું કંઇ નથી કરી શકતો. કોરોના મહામારી પહેલા હું સારી રીતે કામ કરી રહ્યો હતો પરંતુ બાદમાં કામ ખુબ ઓછુ થઇ ગયુ અને તણાવ વધવા લાગ્યો હતો.
બીમારીને નજરઅંદાજ કરવું પડ્યું મોંઘુ
ઇમોશનલ થઇને લોકેન્દ્ર સિંહે કહ્યું કે, આ બધુ ત્યારે શરૂ થયુ જ્યારે મારા જમણા પગમાં કોર્ન વિકસિત થઇ ગયુ. મે આ વસ્તુને નજર અંદાજ કરી દીધી અને સંક્રમણ ફેલાવા લાગ્યુ હતુ. આ સંક્રમણ મારા હાડકા સુધી ફેલાઇ ગયુ અને મને ગેંગ્રીન થઇ ગયુ. જે બાદ જીવ બચાવવાનો માત્ર એક જ ઉપાય હતો કે ગોઠણ સુધી હું મારા પગ કપાવી દઉ.
સ્ટ્રેસ લેવલ વધવાથી થઇ તકલીફ
સમગ્ર મામલે એક્ટરે કહ્યું કે, હું વિચારુ છુ કે 10 વર્ષ પહેલા જ્યારે ડાયબિટીસની શરૂઆત થઇ ત્યારે મેં ધ્યાન રાખ્યું હોત તો આ બધુ ન થયુ હોત. એક્ટર્સનો કોઇ સમય ફિક્સ હોતો નથી. જમવાનો કે કોઇ પણ કામનો, જેના કારણે સ્ટ્રેસ વધે છે અને ડાયબિટીઝ થઇ શકે છે.
CINTAથી મળી મદદ
તેમણે કહ્યું, મને નાણાકીય સહાય મળી અને મારા સ્વાસ્થય્ વિશે પણ પૂછવામાં આવ્યું હતુ. લોકેન્દ્ર જોધા અકબર સિવાય CID ક્રાઇમ પેટ્રોલ, જગ્ગા જાસુસ અને મલાલમાં નજર આવી ચૂક્યા છે.