ગોરખપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશન સંસદમાં ચાલી રહેલા સત્રમાં વસ્તી નિયંત્રણ બિલ લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેણે લઈને તેમણે વિપક્ષને પણ અનુરોધ કર્યો છે.
ગોરખપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશન સંસદમાં ચાલી રહેલા સત્રમાં વસ્તી નિયંત્રણ બિલ લાવનારા છે. આ એક પ્રાઈવેટ બિલ હશે. તે સંબંધમાં મીડિયા સાથે વાત કરતા રવિ કિશને કહ્યું કે, આપણે વિશ્વ ગુરુ ત્યારે જ બની શકીશું, જ્યારે વસ્તી નિયંત્રણ બિલ લાવવામાં આવશે. વસ્તીને નિયંત્રણમાં લાવવામાં આ ખૂબ જ જરૂરી છે. જેવી રીતે જનસંખ્યા વધી રહી છે. આપણે વિસ્ફોટ તરફ આગળ વધી રહ્યા છીએ. હું વિપક્ષને અનુરોધ કરવા માગુ છુ કે, મને બિલ રજૂ કરવા દે અને સાંભળે કે હું તેને શા માટે રજૂ કરવા માગુ છું.
વસ્તી નિયંત્રણ બિલ પર પોતાની વાત રજૂ કરતા ભાજપ સાંસદે કહ્યું કે, આ વિકાસનું બિલ છે. જે દિવસે તે પાસ થઈ જશે. રાષ્ટ્ર વિશ્વ ગુરુ બનવા માટે ઉડાન ભરશે. હું આ બિલને ફક્ત વિકાસની દ્રષ્ટિએ જોઈ રહ્યો છું. નહીં જાતિ અથવા ધર્મની દ્રષ્ટિએ.
We can be Vishwa Guru only when Population Control Bill is brought. Very imp to bring population under control. With the way in which it's rising, we're heading towards explosion.I request Oppn to let me introduce Bill & listen to why I want to do it. Discuss!: BJP MP Ravi Kishan pic.twitter.com/9jz32k9Vmk
છેલ્લા કેટલાય સમયથી વસ્તી સંબંધી મુદ્દા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસ્તી વધારાને લઈને આપેલા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા. લખનઉમાંથી જનસંખ્યા સ્થિરતા પખવાડીયાની શરૂઆત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું. જ્યારે આપણે પરિવાર નિયોજન/જનસંખ્યા સ્થિરીકણની વાત કરીએ છીએ તો, આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે કે, જનસંખ્યા નિયંત્રણ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધે, પણ જનસાંખ્યિકી અસંતુલનની સ્થિતિ પણ ન ઊભી થવી જોઈએ.
હાલમાં જ યુનાઈટેડ નેશન્સનો એક રિપોર્ટ જાહેર કરીને કહ્યું કે, 2023 સુધીમાં ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. ભારતની વસ્તી હાલમાં 141.2 કરોડ છે. પણ 2050 સુધીમાં તેની વસ્તી 166 કરોડ થવાનું અનુમાન છે.