2024માં લોકસભા ચૂંટણી પહેલા મોટી જીતની રણનીતિ માટે ભાજપે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી
2019માં હારેલી 141 સીટો પર ભગવો લહેરાવાની જવાબદારી સોંપાઈ
આ મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓને મળી સીટ પ્રમાણે જવાબદારી
2024માં લોકસભા ચૂંટણી પહેલા મોટી જીતની રણનીતિ માટે ભાજપે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. તેના માટે પાર્ટીએ આ મહિનાથી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરતા કેન્દ્રયી મંત્રીઓ સહિત સંગઠનના કુશળ શિલ્પી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ એવી 141 સીટો પર ભગવો લહેરાવાની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. જેમાં 40 સીટો ઉતતત્ર અને પૂર્વ ભારતની છે. જ્યારે 101 સીટ દક્ષિણ ભારતની છે. આ સીટો પર 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. મંત્રીઓને લોકસભા મતવિસ્તાર પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોનું માનીએ તો, જે મંત્રીઓને 141 સીટોની જવાબદારી સોંપવામાં આવી છે, તે 2024માં લોકસભા મત વિસ્તારમાં જઈને જીતની રણનીતિ તૈયાર કરશે અને સંગઠનને જરૂરી સૂચનો અને સલાહ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રેદશમાં હારેલી 14 સીટો પર આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો ધ્વજ લહેરાવવા માટે પાર્ટીએ ચાર મંત્રીઓને જવાબદારી સોંપી છે.
આ મંત્રીઓને મળી લોકસભા સીટો પર ભગવો લહેરાવાની જવાબદારી
તેમાં કોંગ્રેસના કબ્જાવાળી રાયબરેલી સીટ પણ સામેલ છે. આ જવાબદારી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને આપવામા આવી છે. તોમર રાયબરેલી ઉપરાંત મઉ, ઘોસી, શ્રાવસ્તી અને આંબડકર નગર લોકસભા સીટની જવાબદારી સંભાળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને સહારનપુર , નગીના અને બિઝનૈરમાં જવાબદારી સોંપી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને મુરાદાબાદ, અમરોહા અને મૈનપુરી જીતાડવાની જવાબદારી મળી છે. તો વળી રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવીને જૌનપુર, ગાઝીપુર તથા લાલગંજ જિતાડવાની જવાબદારી મળી છે.
પંજાબની જવાબદારી સંભાળી રહેલા જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને આનંદપુર સાહિબ સીટની જવાબદારી મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાને પંજાબની લુધિયાણા, સંગરુર અને હિમાચલની મંડી લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે. કેન્દ્રીય મંત્રી અને ચૂંટણી રણનીતિકાર ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રની બુલઢાણા અને ઔરંગાબાદ લોકસભા સીટ મળી છે. તો વળી નાણામંત્રી નિર્મલા સીતારમણને મહારાષ્ટ્રની બારામતી જિતાડવાની જવાબદારી સોંપાઈ છે.
ગિરિરાજ સિંહને પણ મળી જવાબદારી
સૂત્રોના જણાવ્યા અનુસાર હિન્દુત્વનો ચહેરો અને ફાયરબ્રાન્ડ નેતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને મધ્ય પ્રદેશમાં કમલનાથ અને તેના દિકરા નકુલનાથના કબ્જાવાળી છિંદવાડા અને છત્તીસગઢની કોરબા સીટની જવાબદારી મળી છે. બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબેને કેરલની ત્રિશૂર લોકસભા સીટ પર જવાબદારી મળી છે.
પૂર્વ આર્મી ચીફ અને કેન્દ્રીય મંત્રી વિકે સિંહને તમિલનાડૂની કન્યાકુમારી, શિવ ગંગા અને વેલ્લૂર તથા તિરુવલ્લૂરની લોકસભા સીટની જવાબદારી, ઉત્તર પ્રદેશમાંથી આવતા મહેન્દ્રનાથ પાંડેને તેલંગણાની નલગોંડા, મહેબૂબનગર અને કૂરનૂલ સીટ પર પાર્ટીએ જવાબદારી સોંપી છે. ગુજરાતના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાને તેલંગણાની આદિલાબાદ, પેડાપલ્લી, મેંઢક તથા ઝાહિરાબાદ લોકસભા સીટ પર જીત મેળવવાની જવાબદારી મળી છે.
ભાજપના એજન્ડામાં છે આ ચાર રાજ્ય
રાજયમંત્રી પ્રહલાદ પટેલને છત્તીસગઢની રાયગઢ તથા ઝારખંડની ગિરિડીહ સીટનું કામ મળ્યું છે. પણ ભાજપનના એજન્ડામાં સૌથી ઉપર દક્ષિણ ભારતના ચાર રાજ્ય તેલંગણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને કેરલ છે. અહીં 101 લોકસભા સીટ માંથી ફક્ત 4 સીટ પર ભાજપ છે. ત્યારે આવા સમયે ભાજપની કોશિશ રહે છે કે, દક્ષિણ ભારતને કવર કરે. તેના માટે પુરી રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે.