2014 ચૂંટણીની જેમ નરેન્દ્ર મોદીની સુનામીની લહેર પર સવાર થઇ 2019ના મહાસંગ્રામને ભાજપે પોતાના નામે કરી લીધો છે. અત્યાર સુધીના ચૂંટણી પ્રવાહ બતાવી રહ્યા છે કે ભાજપ પોતાના સહયોગીઓ સાથે 330થી વધારે સીટ હાંસલ કરતી દેખાઇ રહી છે. પરંતુ મોદીની સુનામી વચ્ચે કેટલાક એવા રાજ્યો પણ છે જ્યાં તેમનો જાદું ન ચાલી શક્યો. આ ત્રણ રાજ્યો દક્ષિણ ભારતથી છે.
આંધ્રપ્રદેશ
આ પ્રદેશમાં ભાજપ અને મોદીની લહેર જોવા નહીં મળી. સીએમ ચંદ્રબાબૂ નાયડૂએ ભાજપ અને મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. જોકે નાયડૂને તેનો ફાયદો મળ્યો નહીં. અને બાજી જગનમોહન રેડ્ડી મારી ગયા. એમણે લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતી સાથે-સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમત હાંસલ કરી. નાયડૂ દિલ્હીમાં ભાગદોડ કરતા રહ્યા અને બીજી તરફ તેમની ખુરશી છુટી ગઇ.
તમિલનાડુ
આ રાજ્યમાં પણ મોદીનો કોઇ જાદુ ન ચાલ્યો. ભાજપે અહીં અન્નાદ્રમુક સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો. વિપક્ષી દ્રમુકે કોંગ્રેસ સાથે મળીને ભાજપ-અન્નાદ્રમુક પછાડી દીધી. ભાજપને આ સમજુતીનો કોઇ ફાયદો ન મળ્યો. છેલ્લી ઘડીએ રાહુલ ગાંધીનો નિર્ણય કોંગ્રેસ માટે સાચો સાબિત થયો નહીં તો યૂપીએનો ગ્રાફ વધુ નીચે જઇ શક્યો હોત.
કેરળ
કેરળમાં પણ ભાજપને કોઇ ફાયદો મળ્યો નથી. માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે મોદી લહેરના સહારે કેરળમાં ભાજપ મજબૂત લીડ મેળવશે. પરંતુ એ માત્ર કલ્પના સાબિત થઇ. કેરળમાં ભાજપ અને સંઘને મહેનતનું કોઇ પરિણામ મળ્યું નથી.
2014ની ચૂંટણી સાથે તુલના કરીએ તો ભાજપના પ્રદર્શનમાં કોઇ પરિવર્તન જોવા મળ્યું નથી. જોકે કર્ણાટકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક રીતે જોતા ભાજપે દક્ષિણમાં પોતાની પકડ બનાવવા માટે હજુ ઘણી મહેનત કરવી પડશે. ત્યારે તે ખરેખર અખિલ ભારતીય પાર્ટી બની શકશે.