થોડાક દિવસ પહેલા રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘આ નરેન્દ્ર મોદી જે ભાષણ આપી રહ્યાં છે. છ મહિના પછી તે જ્યારે ઘરની બહાર નીકળશે ત્યારે ભારતનાં યુવાનો ડંડા મારશે. તેના આ નિવેદનને લીધે આજે લોકસભા હોબાળો થયો હતો. સંસદમાં ભાજપ - કોંગ્રેસ એકબીજાની સામ સામે આવી ગયા હતાં. ગઈ કાલે રાહુલ ગાંધીનાં આ નિવેદન પર મોદીએ નિશાનો સાધ્યો હતો. તે સમયે રાહુલ મોદીની સામે જ બેઠા હતા.
રાહુલના મોદીને ડંડા મારવાના નિવેદન પર લોકસભામાં હોબાળો
લોકસભામાં સામ સામે આવ્યાં ભાજપ -કોંગ્રેસના સાંસદ
હોબાળો કરતા કરતા બન્ને પક્ષ સ્પીકરની બેઠક પાસે પહોંચી જતા સંસદ 1 વાગ્યા સુધી સ્થગિત કરાયી
આજે લોકસભામાં શું થયું ?
રાહુલે આજે લોકસભામાં લેખિતમાં સવાલ પુછ્યો હતો. રાહુલનાં સવાલનો જવાબ કેન્દ્ર મંત્રી હર્ષવર્ધને આપવાનો હતો. પરંતુ હર્ષવર્ધને સવાલનો જવાબ આપતા પહેલાં ‘હું રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈને આપેલા નિવેદનની ટીકા કરુ છું જેમાં તેમણે પીએમને ડંડા મારવાની વાત કરી છે.’
હર્ષવર્ધનની આ શરુઆતથી મામલો બિચકાયો હતો
હર્ષવર્ધનની આ વાતને લઈને કોંગ્રેસ સાંસદોએ હોબાળો કર્યો હતો. આ બાદ ભાજપ સાંસદ હર્ષવર્ધનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. જોત જોતામાં બન્ને પક્ષના સાંસદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની બેઠક પાસે પહોંચી ગયાં હતા. હોબાળો જોઈ ઓમ બિરલાએ લોકસભા એક વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
કાલે પીએમ મોદીઓ શું કહ્યું હતું?
આ હોબાળા પહેલા ગઈ કાલે લોકસભામાં મોદીએ રાહુલ ગાંધીને ડંડા મારવા અંગેના રાહુલના નિવેદન પર કહ્યું હતું કે,‘મે કોંગ્રેસનાં એક નેતાનું કાલે વક્તવ્ય સાંભળ્યું છે કે 6 મહિનમાં મોદીને ડંડા મારશે. આ કામ થોડું મુશ્કેલ છે તૈયારીમાં 6 મહિના લાગે જ. મે પણ નક્કી કર્યું કે 6 મહિનામાં સૂર્ય નમસ્કારની સંખ્યા વધારી દઉ. જેથી મારી પીઠ મજબૂત થઈ જાય. 20 વર્ષમાં જે રીતે મે ગાળો સાંભળી પોતાને ગાળો પ્રુફ કરી લીધો છે. તો 6 મહિનામાં એવી મહેનત કરીશ કે મારી પીઠને ડંડા સહન કરવાની ક્ષમતા મળે.’