ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું કે ગઈકાલે જ હાઈકોર્ટે પૂછ્યું છે કે શું ગયા વર્ષની જેમ આ વખતે પણ કડક લોકડાઉનની જરુર છે. હું તમને પુછવા માંગું છું કે, મને લોકડાઉનની કોઈ જરુર લાગતી નથી. મેં તમને કહ્યું હતું કે રોજી ભલે અટકી જાય પણ રોટી ન અટકવી જોઈએ. ઘણા લોકોને લાગી રહ્યું છે કે બીજા રાજ્યોએ જે કર્યું તે કરવું જોઈએ. જો કોઈ સારુ કરી રહ્યાં હોય તો અમે પણ તેને પગલે ચાલીશું.
હજુ પણ થોડા દિવસ આ નિયમોનું પાલન કરવાનું છે
પોતાના સંબોધનમાં ઠાકરેએ જણાવ્યું કે કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ જે ગતિએ કેસો વધી રહ્યાં છે તેવી રીતે હવે વધતા નથી. જો તે ગતિએ વધતા હોય તો અત્યાર સુધી રાજ્યમાં 9 થી 10 લાખ કોરોનાના દર્દીઓ હોત. હવે આપણે આ સંખ્યાને 6 લાખની આસપાસ રાખીએ છીએ. જો લોકોએ સંયમ ન દાખવ્યો હોત તો આ શક્ય ન બન્યું હોત. હજુ પણ થોડા દિવસ તમારે આ નિયમોનું પાલન કરવાનું છે.
લગ્નમાં ફક્ત 25 લોકોને બોલાવો, લોકો ગંભીરતાથી સમજે
ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું કે લોકોએ લગ્નમાં 25 લોકોને બોલાવવા જોઈએ અને 2 કલાકમાં લગ્નને આટોપી લેવા જોઈએ. તમે તેને ગંભીરતાથી સમજો અને નિયમોનું પાલન કરો. ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લા અધિકારીને કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાન્ટ અને દવાઓને સ્ટોક કરી રાખવાની યોજના બનાવવા કહ્યું છે.
એક માહિતી અનુસાર મુખ્યમંત્રીએ જિલ્લા આયુક્ત, સંભાગ આયુક્ત અને નગર આયુક્તની વર્ચ્યુઅલ બેઠકમાં કોરોના મહામારીની સ્થિતિને લઈને જાણકારી લીધી હતી. તેઓએ કહ્યું કે ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનેશનમાં ઝડપ લવાશે. અમે 18-44 વર્ષના લોકોને ફ્રીમાં વેક્સીન લગાવવાની જાહેરાત કરી છે તેની આપૂર્તિની યોજના બનાવવાની રહેશે. તેઓએ કહ્યું કે ઓક્સીજન સંયંત્ર સ્થાપિત કરવાની મંજૂરી મળી છે અને જિલ્લા પ્રશાસને નક્કી કરવાનું રહેશે કે ભવિષ્ય માટે ઓક્સીજનનો સ્ટોક રહે.
જુલાઈ કે ઓગસ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકેઃ સ્વાસ્થ્ય મંત્રી
આ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જુલાઈ કે ઓગસ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં નવા 66159 કેસ આવ્યા છે તો સાથે 771 લોકોના મૃત્યુ થયા છે.