ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી આજે રાજકોટમાં 490 રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આમ ચૂંટણી અગાઉ શહેરને મુખ્યમંત્રી રુપાણી દ્વાર મોટી ભેટ અપાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તે અગાઉ CM રાજકોટમાં
CM રૂપાણી વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
CM રૂપાણી રાજકોટમાં રૂ.490 કરોડના કાર્યો લોકાર્પણ કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે હાલ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરી રહ્યાં છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અગાઉ આજે મુખ્યમંત્રી વિજય રુપાણી પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. મુખ્યમંત્રી રુપાણીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં રૂપિયા 490 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે. આ ચૂંટણી અગાઉ રાજકોટને મળનારી સૌથી મોટી ભેટ છે. જેમાં શહેરના કાલાવાડ રોડ પર બની રહેલા ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આમ્રપાલી ઓવરબ્રીજનું CM વિજય રૂપાણી લોકાર્પણ કરશે
આ સાથે શહેરમાં નવા 4 બ્રીજની કામગીરીનું CM રૂપાણી લોકાર્પણ કરશે. તંત્ર દ્વારા તૈયાર કરાયેલા 416 સરકારી આવાસોનો મુખ્યમંત્રીના હસ્તે ડ્રો કરાશે. CM વિજય રૂપાણી પંચનાથ હોસ્પિટલનું ઉદ્વાટન કરશે. પંચનાથ હોસ્પિટલમાં લોકોને સસ્તા દરે સારવાર અપાશે.
મુખ્યમંત્રી રુપાણી આ સાથે રાજકોટ શહેર પોલીસના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લા સેવા સદનના કાર્યક્રમમાં CM રુપાણી ઉપસ્થિત રહેશે. આ સાથે રામ મંદિર નિધી સમર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ભાજપ પેજ સમિતિના કાર્યક્રમમાં પણ સંબોધન કરશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક તરફ ભણકારા વાગી રહ્યાં છે. રાજ્ય ચૂ્ંટણી પંચ દ્વારા કોઇપણ સમયે તારીખ જાહેર થઇ શકે તેવી શક્યતા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા ગઇકાલે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.