અમદાવાદમાં ગઇકાલે જાહેર કરાયેલા 38 ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
કોંગ્રેસે જાહેર કરેલા 38 ઉમેદવારોનું વિશ્લેષણ
કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં વોર્ડ પ્રમુખનું કદ વધ્યું
અમદાવાદના 4 વોર્ડ પ્રમુખને અપાઇ ટિકિટ
અમદાવાદમાં ગઇકાલે જાહેર કરાયેલા 38 ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં 38માંથી 4 ઉમેદવારને રિપિટ કરાયાં છે. જ્યારે આ યાદીમાં વોર્ડ પ્રમુખનું કદ પણ વધ્યું છે.
કોંગ્રેસે જાહેર કરેલા 38 ઉમેદવારોનું વિશ્લેષણ
અમદાવાદ મહાપાલિકા માટે કોંગ્રેસે 38 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે 38માંથી 4 ઉમેદવારને રિપિટ કરાયા છે. 38 ઉમેદવારમાંથી 18 SC-OBC, 11 પટેલ, 4 વણિક ઉમેદવારને ટિકિટ મળી છે.
તો 2 સોની, 1 બ્રાહ્મણ, 1 ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ અપાઇ છે. જ્યારે 38માંથી 80 ટકા ઉમેદવાર 35થી 45ની વયજૂથના છે. અને 20 ટકા ઉમેદવાર 45 થી 55 વર્ષની વયજૂથના છે. નવા વાડજમાંથી કમલેશ પટેલ, ઘાટલોડિયાથી સુનિલ ઠાકોરને રિપીટ કરાયા છે.
થલતેજથી ખ્યાતિ પટેલ, વાસણામાંથી તૃપ્તિ રાવલ રિપીટ કરાયા છે. મહત્વની વાત એ છે કે પહેલી યાદીમાં એકપણ મુસ્લિમ ઉમેદવાર નથી. ત્યારે લઘુમતિ પ્રભુત્વવાળા વોર્ડનું લીસ્ટ બીજા કે ત્રીજા તબક્કામાં જાહેર થશે.
કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં વોર્ડ પ્રમુખનું કદ વધ્યું
અમદાવાદ મનપા માટે કોંગ્રેસ દ્વારા ગઇકાલે 38 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરેલી યાદીમાં વોર્ડ પ્રમુખનું કદ વધ્યું છે. શહેરના 4 વોર્ડ પ્રમુખને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 2 વોર્ડ પ્રમુખના સંબંધીને ટિકિટ આપવામાં આવી છે.
10માંથી 6 વોર્ડમાં વોર્ડ પ્રમુખ અથવા તેમના સંબંધીને ટિકિટ આપવામાં આવી. જેમાં નવરંગપુરા વોર્ડ પ્રમુખ જયકુમાર પટેલને ટિકિટ મળી, વાસણમાં વોર્ડ પ્રમુખ વિનુ ગોહિલને મનપાની ટિકિટ આપી. નરોડામાં વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલને ટિકિટ મળી. નારાણપુરમાં વોર્ડ પ્રમુખ સિદ્ધાર્થ સોની, થલતેજમાં વોર્ડ પ્રમુખ તલાશ પટેલના સંબંધીને અને ગોતામાં વોર્ડ પ્રમુખ હરેશ ભાવસારના સંબંધીને ટિકિટ મળી છે.