ભાજપમાં ખુલ્લેઆમ કાર્યકર્તાઓને જાહેરમાં ભાજપના જ ધારા સભ્ય ચીમકી આપી રહ્યા છે આવો જાણીએ શું કહી રહ્યા છે સુરતાના આ MLA
ભાજપના MLA વિનુ મોરડિયાનું નિવેદન
વહેતી ગંગા છે હાથ ધોઈ લોઃવિનુ મોરડિયા
કાર્યકરોને કહ્યુ હવે કોઈને મનાવવા નથી
સુરતમાં ભાજપના કાર્યકરોને ધારાસભ્ય ખુલ્લેઆમ મનમાની કરતા નજરે પડ્યા હતા તેમણે ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી કે જેને આવવું હોય તે આવી જાઓ મનાવવા કોઈ નહીં આવે.
શું કહ્યુ ભાજપના MLA વિનુ મોરડિયાએ?
સુરતના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા એ ભાજપના કાર્યકરોને ઉદ્દેશીને જાહેર મંચ પર ઘઘલાવી નાંખ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, અમુક અમુક લોકોને દોડાવી દોડાવીને તોડાવી નાખવાના છે. અમુક લાકો ભાગ્યા છે, કયાંક કયાંક કાર્યાલયો ખોલી કાઢ્યા છે એને મનાવવા નથી જવાનો. હું અહીંથી જાહેરમાં કહું છું જેને પણ આવવું હોય એ આવી જજો. મનાવવાના દિવસો વયા ગયા હવે. પહેલાં દાદા બહુ રિસાતા હતાં, કાકા રિસાતા હતા. હવે રિસાવવાનો રિવાજ નથી. સમયનુ પરિવર્તન છે, બદલાઈ ગયો છે અને મારા તો સ્વભાવમાં જ નથી. રિસાવવું નહીં. એકલાં રહી જશો. મારી હજી શુભેચ્છા છ. આવવાનું હોય તો આવી જાવ વહેતો પ્રવાહ છે. વહેતી ગંગામાં ડૂબકી લગાવી દો .
શું કહે છે ભાજપનો આંતરીક સર્વે
ભાજપના સર્વેમાં જામનગર-ભાવનગર મહાપાલિકામાં પણ ભાજપની જીત દેખાઈ રહી છે. નગરપાલિકામાં પણ ભાજપનો હાથ ઉપર રહેશે.
સર્વે બાદ ભાજપની ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત
ભાજપે આંતરિક સર્વે બાદ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી છે. ભાજપના સર્વેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગરમાં નુકસાન થશે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ નુકસાનનો અંદાજ છે.