ચંદ્રમા પૃથ્વી ઉપર બધાથી વધારે અસર કરનાર ગ્રહ છે. તેની સીધી અસર વ્યક્તિના મન અને સંસ્કારો પર પડે છે. એટલે જ ચંદ્રમાથી બનતા એક-એક યોગ મહત્વપૂર્ણ હોય છે. તમને જણાવી દઈએ કે ચંદ્રમાથી ત્રણ પ્રકારના શુભ યોગ બને છે.'અબફા સુનફા અને દુરધરા'. આ ઉપરાંત એક અશુભ યોગ પણ છે જેનું નામ છે કેમદ્રુમ.
કુંડળીમાં જો કેમદ્રુમ યોગ હોય તો ઘણાબધા શુભ યોગ પણ નિષ્ફળ નીવડે છે. જેથી વ્યક્તિને માનસિક પીડા થાય છે અને દરિદ્રતા આવે છે.
કેવીરીતે બને છે કેમદ્રુમ યોગ અને તેનો પ્રભાવ જાણો:
- ચંદ્રમાની બંને બાજુ કોઈ ગ્રહ ન હોય.
- અથવા તેના પર કોઈ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો કેમદ્રુમ યોગ બને છે.
- તેવી દશામાં વ્યક્તિને માનસિક રોગ અને માનસિક પીડાનો સામનો કરવો પડે છે.
- વ્યક્તિને ગરીબાઈનો સામનો કરવો પડે છે.
- આર્થિક પરિસ્થિતિને લઇ ખુબ જ ઉતાર ચઢાવ આવે છે.
- વ્યક્તિને પરિવારનું સુખ નથી મળતું.
- કેમદ્રુમ યોગ કર્ક વૃશ્ચિક અને મીન રાશિના લગ્નમાં ખરાબ સાબિત થાય છે.
કયારે આ યોગનો ભંગ થાય છે:
-જયારે ચંદ્રમા આઠમા અથવા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરે.
- જયારે કુંડળીમાં શુભ ગ્રહ મજબૂત હોય.
- જયારે કેન્દ્રમાં માત્રને માત્ર શુભ ગ્રહ હોય.
- જયારે ગુરુ કેન્દ્રમાં હોય.
- જયારે શુક્લ પક્ષમાં રાત્રી દરમિયાન અને કૃષ્ણ પક્ષમાં દિવસે જન્મનો યોગ હોય.
કેમદ્રુમ યોગથી બચવાનો ઉપાય:
- દરરોજ માતા પિતાના ચારણ સ્પર્શ કરો.
- જો માં ન હોય તો માં સમાન સ્ત્રીના ચાના સ્પર્શ કરો.
- સોમવારે દૂધ ચોખા અથવા તો ખાંડનું દાન કરો.
- શરીર પાર ચાંદીનો એકાદ દાગીનો પહેરો.
- દરરોજ "ॐ श्रां श्रीं श्रौं सः चन्द्रमसे नमः" જાપ કરો.
- દર મહિને શિવલિંગ પર સફેદચંદન લગાવો અને જળ ચડાવો.
- શિવની ભક્તિથી કેમદ્રુમ યોગનો સો ટકા ભંગ થશે.