રાજકોટના વકીલ સોહેલ મોરે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરી હોવાથી ફરિયાદ નોંધાઈ હતી. આરોપી વકીલે શિવાજી વિશે વિવાદીત ટિપ્પણી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં વિધર્મી દ્વારા વિવાદાસ્પદ કોમેન્ટનો કેસ
શિવાજી મહારાજ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
આરોપીને સાથે રાખીને કર્યું રીકન્સ્ટ્રક્શન
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનાના whatsapp ગ્રુપમાં એડવોકેટ સોહીલ મોર દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરવામાં આવી હતી. એડવોકેટ સોહેલ નામના શખ્સે હિન્દુ સમાજને અપશબ્દો કહ્યાં હતા. તો સાથે જ જ્યોતિબા સોઢા નામના વ્યક્તિના ફ્લેટની બહાર તોડફોડ પણ કરવામાં આવી હતી. ગણેશજીની પ્રતિમાનું તોરણ પણ તોડી નાખ્યું હતું. તેમજ ટાઉનશીપ પાકિસ્તાની બની ગઇ હોવાની ડંફાસ મારી હતી. હિન્દુઓને ટાઉનશીપ ખાલી કરવા કહ્યું હતું. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા શખ્સે પોલીસ પર પણ હુમલો કર્યો હતો. યુનિવર્સિટી પોલીસનો સ્ટાફની ફરજમાં રૂકાવટ સહિતની બે જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે બાદમાં પોલીસે ઉદ્વંત મચાવનાર શખ્સની ધરપકડ કરી હતી.
આરોપીને સાથે રાખીને કર્યું રીકન્સ્ટ્રક્શન
શિવાજી મહારાજ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિધર્મીનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. ક્રાઈમબ્રાંચના PI જે.વી. ધોળાએ આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. ક્રાઈમબ્રાંચ અને યુનિવર્સિટી પોલીસે આરોપીનું નિવેદન લીધું હતું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને નિવેદન નોંધ્યું હતું.
શિવસેનાએ સોહેલ મોર વિરૂદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ
ત્યારે આજરોજ રાજકોટ શિવસેના દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે એકત્ર થયેલા શિવ સેનાના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં આરોપી એડવોકેટ સોહીલ મોર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.