દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં આજે વધારો થયો છે. દેશમાાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1086 કેસો આવ્યા છે.
દેશમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉચક્યું
નવા કેસો તો વધ્યા પણ મોતનો આંકડો પણ વધ્યો
સાવધાની રાખવી ખૂબ જરૂરી, નિયમોનું પાલન કરતા રહો
દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં આજે વધારો થયો છે. દેશમાાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1086 કેસો આવ્યા છે. અને 71 લોકોના પણ જીવ ગયા છે. કાલે કોરોનાના 975 નવા કેસો આવ્યા હતા અને 58 લોકોના મોત થયા હતા. તો આવો જાણીએ દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ.
India reports 1,086 fresh #COVID19 cases, 1,198 recoveries, and 71 deaths in the last 24 hours.
Active cases: 11,871 (0.03%)
Death toll: 5,21,487
Daily positivity rate: 0.23%
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર, કાલે દેશમાં 1 હજાર 198 લોકો સાજા થયા બાદ હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11 હજાર 871 થઈ ગઈ છે. તો વળી આ મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 21 હજાર 487 થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 97 હજાર 567 લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે.
અત્યાર સુધીમાં 185 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના વાયરસ વિરોધી રસીના 185 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કાલ સુધીમાં 15 લાખ 49 હજાર 699 ડોઝ આપવામા આવ્યા, જે બાદ અત્યાર સુધીમાં વેક્સિનના 185 કરોડ 4 લાખ 11 હજાર 569 ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના તથા અન્ય બિમારીઓથી ગ્રસ્ત લોકો 2 કરોડથી વધારે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના વિરોધી રસી અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું છે અને પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી લગાવામાં આવી હતી. તો વળી કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન બે ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.