રાનૂ મંડલ ઇન્ટરનેટ પર હાલ છવાયેલા છે. દરેક લોકો એમના જાદુઇ અવાજના વખાણ કરતાં થાકતા નથી. એવામાં લતા મંગેશકરે રાનૂ મંડલને સલાહ આપી છે.
રાનૂનો ફેમસનો આ સિલસિલો શરૂ થયો હતો લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા'થી...રાનૂ રેલવે સ્ટેશન પર ખૂણામાં બેસી રહીને ગીત ગાઇ રહી હતી. આ ગીતના વીડિયોને અતિન્દ્ર ચક્રવર્તીનામના એક શખ્સે સોશ્યલ મીડિયા પર શેર કર્યો. બસ લતા મંગેશકરના આ ગીતે રાનૂને રાતોરાત સ્ટાર બનાવી દીધી, તો હવે રાનૂ મંડલના અવાજ અને એમની ખ્યાતિ પર ખુદ સ્વર કોકિલા લતા મંગેશકરે પ્રતિક્રિયા આપી છે.
એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે રાનૂ મંડલ માટે વાત કરી છે. એમને કહ્યું, 'જો મારા નામ અને કામથી કોઇનું સારું થાય છે તો હું મારી જાતને ખુશનસીબ માનું છું. પરંતું એવું પણ હું મહેસૂસ કરું છું કે નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીત ગાઇને આકાંક્ષી ગાયકોને થોડાક સમય માટે અટેન્શન મળે છે પરંતુ એ લાંબા સમય સુધી રહેતી નથી.'
તેમને કહ્યું કે, 'રિયાલિટી શો માં ઘણા બાળકો મારા ગીતો ખૂબ જ સુંદર રીતા ગાય છે પરંતુ એમાંથી ખૂબ જ ઓછા હશે જેને યાદ રાખવામાં આવે. મને માત્ર સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલને યાદ છે.' એમને રાનૂને સલાહ આપતા કહ્યું, 'ઓરિજિનલ રહો, તમામ સિંગર્સના એવરગ્રીન ગીત ગાઓ પરંતુ થોડાક સમય બાદ ગાયકે પોતાનું ગીત શોધવું જોઇએ.'
જણાવી દઇએ કે એક વીડિયોથી રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલ હવે હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી અને હીર' થી બોલીવુડમાં પ્લેબેક સિંગર ડેબ્યુ કરી ચુકી છે. અત્યાર સુધી આ ફિલ્મમાં એના ત્રણ ગીતોની ઝલક સામે આવી ચુકી છે અને તમામ લોકોએ ખૂબ પસંદ કર્યા છે. રાનૂ આ પહેલા રેલવે સ્ટેશનો અને ગલી ગલીમાં ફરીને ગીત ગાતી હતી અને પોતાનું પેટનું ભરણપોષણ કરતી હતી. રાનૂની આ સફર જોઇને એની લાઇફ પર બાયોપિક બનાવવાનું પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે.