ખાડી દેશ કુવૈતે પયગંબર મહોમ્મદ વિવાદની વચ્ચે હવે ઘઉં બાદ ભારતમાંથી ગાયનું ગોબર મગાવાનો ઓર્ડર આપ્યો છે.
ખાડી દેશ કુવૈતમાંથી ભારતને મળ્યો ગોબરનો ઓર્ડર
કૃષિ વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં મોટુ તારણ કાઢ્યું
ખજૂરના ઉત્પાદન અને આકારમાં મોટો વધારો થયો
ખાડી દેશ કુવૈતે પયગંબર મહોમ્મદ વિવાદની વચ્ચે હવે ઘઉં બાદ ભારતમાંથી ગાયનું ગોબર મગાવાનો ઓર્ડર આપ્યો છે. કુવૈતમાં વૈજ્ઞાનિકોએ ખજૂરની ખેતી માટે ગાયના ગોબરનો ઉપયોગ કર્યો અને જાણ્યું કે, તેનાથી પાક વધે છે. ત્યાર બાદ કુવૈતે ભારતમાંથી ગાયના ગોબરને મગાવાનો નિર્ણય લીધો છે. ભારતને અત્યાર સુધીમાં મળેલા વિદેશી ઓર્ડરનો જથ્થો રાજસ્થાન અને ઉત્તર પ્રેદશમાંથી પુરો પાડવામાં આવશે.
ગોબર પહેલા ઘઉં પણ માગી ચુક્યું છે કુવૈત
પૂર્વ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી તથા સાંસદ રાધા મોહન સિંહે મંગળવારે કાનપુરના ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, કુવૈતના કૃષિ વૈજ્ઞાનિકોએ ખજૂરની ખેતી માટે ગાયના ગોબરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક ગણાવ્યો છે. ત્યાર બાદ કુવૈતા ભારતમાંથી ગાયનું ગોબર ખરીદવાનો નિર્ણય લીધો. આ અગાઉ કુવૈતે ગ્લોબલ ફુડ ક્રાઈસિસની વચ્ચે ભારતમાંથી ઘઉં મગાવાનો પણ નિર્ણય કર્યો હતો.
ગોબર નિકાસની સંભાવના વધી
રાધા મોહન સિંહે કહ્યું કે, કુવૈતથી મળેલા ઓર્ડર બાદ ગાયના ગોબરની નિકાસની સંભાવનાઓ વધી રહી છે. ભારત ગોબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. હવે સરકાર પણ ગોબરના નિકાસ પર ફોક્સ કરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. અત્યારે મળેલા ઓર્ડર માટે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ગોબર મોકલવામાં આવશે. આવનારા સમયમાં ગોબર નિકાસમાં તમામ રાજ્યોને જોડવામાં આવશે.
પહેલી વાર મળ્યો આવો ઓર્ડર
તેમણે જણાવ્યું હતું કે, કુવૈતને ગાયના ગોબરનો પ્રથમ જથ્થો આજે એટલે કે, 15 જૂને મોકલવામા આવશે. તેને રાજસ્થાનના કનકપુરા રેલ્વે સ્ટેશનથી મુંબઈ મોકલવામાં આવશે, ત્યાંથી જહાજ દ્વારા કુવૈત લઈ જવામાં આવશે. આ જથ્થાને કસ્ટમ વિભાગની દેખરેખ હેઠક જયપુરના ટોંક સ્થિત પાંજરાપોળ ગૌશાળામાં સનરાઈઝ ઓર્ગોનિક પાર્કમાં પેક કરવામાં આવ્યો છે. આ પ્રથમ જથ્થો કુવૈતને 192 મેટ્રિક ટન ગોબરની સપ્લાઈ થશે. પહેલી વાર ભારત કોઈ દેશને ગોબરનો આટલો મોટો જથ્થો સપ્લાઈ કરશે.
ગોબરના ઉપયોગથી વધ્યું ઉત્પાદન
કુવૈતમાં કૃષિ વૈજ્ઞાનનકોએ રિસર્ચમાં જાણ્યું છે કે, ગાયના ગોબરનો પાઉડર કરીને ખજૂરના પાકમાં તેનો ઉપયોગ કરવાથી ઉત્પાદન વધી રહ્યું છે. તેના ઉપયોગથી ફળનો આકાર અને ઉત્પાદનની માત્રામાં ખૂબ વધારો જોવા મળ્યો છે. તે બાદ કુવાતની કંપની લૈમોરે ગાયના ગોબરનો મોટો ઓર્ડર આપ્યો છે.
આપને જણાવી દઈએ કે, ભારતમાં લગભગ 30 કરોડથી વધારે જાનવર છે. તેમાંથી દરરોજ લગભગ 30 લાખ ટન ગોબરનું ઉત્પાદન થાય છે. ભારતમાં મોટા ભાગે ગોબરના છાણા બનાવીને ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે. જો કે, ચીન અને બ્રિટેન જેવા દેશો તો ગોબરમાંથી વિજળી બનાવીને અને ગેસ બનાવાનું કામ પણ કરે છે.