રાજકોટના જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તરફથી આજે કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પોતાની ઉમેદવારી નોંધાવા માટે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા પોતાના સમર્થકો સાથે સરકારી કચેરીએ આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઉમેદવારી નોંધાવતા પહેલા બાવળિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બાવળિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે મારા નિકળ્યા બાદ કોંગ્રેસમાં હવે કઈક પણ રહ્યું નથી. કોંગ્રેસના 21 જેટલા દાવેદારો છે. એક દાવેદારને ટિકિટ આપવામાં આવશે.
ત્યારબાદ તમામ દાવેદારો આગામી દિવસમાં મારી સાથે જોડાશે. આ સાથે જ બાવળિયાએ કોંગ્રેસના ઉમેદવાર વિશે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર શોધવા હવાતિયા મારી રહી છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં સારો ઉમેદવાર પણ મળ્યો નથી.
આપને જણાવી દઇએ કે જસદણમાં કોળી અને પાટીદાર મતદારોનું ખાસ પ્રભુત્વ રહેલું છે. બાવળિયા કોંગ્રેસમાંથી છ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. જેમાંથી પાંચ વખત જીત્યા છે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. જો કે તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાઇ જતાં ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.