કચ્છના સમાધોધા ગામના ગઢવી યુવાન અરજણભાઇ નામના યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ત્યારે આજે વધુ એક યુવાન હરજુગ ગઢવી નામના યુવાનનો મોત નિપજ્યું છે.
ક્ચ્છના મુન્દ્રામાં કસ્ટોડીયલ ડેથનો મામલો
વધુ એક યુવાનનું સારવાર દરમિયાન થયું મોત
કેસમાં ફરાર 6 આરોપીને ઝડપી પાડવા કવાયત
સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે અરજણ ગઢવી, હરજુગ ગઢવી અને શામરા ગઢવીની શંકાસ્પદ આરોપી તરીકે ધરપકડ કરી હતી. પૂછપરછના બહાને ત્રણેય વ્યક્તિઓને 8-9 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ત્રણેય વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય હતા. જેમાં 19 જાન્યુઆરીના રોજ અરજણ ગઢવીનું પોલીસ સ્ટેશનમાં માર મારતા મૃત્યુ થયું હતું. આજે બીજા એક યુવાને પણ દમ તોડી દીધો છે. અમદાવાદ હોસ્પિટલ સંકુલમાં કિડની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા હરજુગ ગઢવી દરમિયાન 22 વર્ષના હરજુગ ગઢવીનું મોત થયું છે.
ગઢવી સમાજમાં રોષ
ઉલ્લેખનીય છે કે કચ્છના મુન્દ્રામાં પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ અને ફરાર આરોપીઓ ન પકડાવા મામલે ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઢવી સમાજ દ્વારા મામલતદારને આવેદન આપી તમામ આરોપીઓને ઝડપીને સજા કરવા અને મૃતકોના પરિવારજનોને સહાય કરવા માટે માગણી કરી હતી.
કેસમાં ફરાર 6 આરોપીને ઝડપી પાડવા કવાયત
આ બનાવમાં PI સહિત કુલ 10 પોલીસ કર્મચારીઓની સંડોવણી ખુલી ચૂકી છે. જેમાંથી એક આરોપી પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા પણ છે. આ કેસમાં PI અને GRD જવાનને બાદ કરતા તમામ આરોપી 19 જાન્યુઆરીથી નાસતાં ફરે છે. આ મામલે SOG અને LCB ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છ પોલીસે ફરાર આરોપીઓની માહીત આપવા માટે અપીલ કરી છે. પોલીસે કહ્યું કે, આરોપીઓને આશ્રય આપનારા સામે કાર્યવાહી થશે. જિલ્લા કંટ્રોલ રૂમના નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસ કર્મચારી અને પૂર્વ સરપંચ ફરાર છે.
કચ્છ ગઢવી ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવીનું નિવેદન
કચ્છ ગઢવી ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવીએ કહ્યું, સમગ્ર કેસમાં ક્યાંય ઘરફોડ ચોરીનો મુદ્દો જ નથી. જમીનનો ડખો હતો જેમાં પોલીસ જ ભક્ષક બની. કચ્છના ધારાસભ્યો તેમજ સાંસદ પર સવાલ ઉઠાવતો વીડિયો વાયરલ થયો છે.