સ્વામિનારાયણ સંપ્રદાય કંઈને કંઈ મામલે વિવાદમાં આવતો હોય છે ત્યારે મહિલાઓ પ્રત્યેના તેમના નિયમોને લઈને આ વખતે ભૂજની શ્રી સહજાનંદ કોલેજમાં વિવાદ સામે આવ્યો છે. અહીં વિદ્યાર્થિનીઓ નિર્વસ્ત્ર કરીને તેમની તપાસ કરવામાં આવી હતી જેનું કારણ હતુ માસિક ધર્મ. અહીં ભણતી છોકરીઓની આવી તપાસને પગલે ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થીનીઓના વિરોધ ને પગલે આખો મામલે સામે આવતાં હવે મહિલા આયોગે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.
નિવસ્ત્ર કરીને વિદ્યાર્થિનીઓની કરાતી હતી તપાસ
માસિક ધર્મને લઈને વિદ્યાર્થિનીઓનું કરાતુ હતું ચેકિંગ
શોષણ મામલે મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ
ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાની ઘટના સામે આવ્યા બાદ ટ્રસ્ટીઓએ બેઠક બોલાવી છે. આ મામલે જવાબદારોને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થિનીઓ સાથે શોષણ મામલે મહિલા આયોગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કોલેજમાં વિદ્યાર્થિનીઓને નિવસ્ત્ર કરીને માસિક ધર્મને લઈને ચેકિંગ કરાયું હતુ. આ મામલે વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્યારે હવે ટ્રસ્ટીઓએ બેઠક બોલાવી છે, આ બેઠકમાં વિવાદને લઈને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
ક્યારે સુધરશે આ રૂઢિચુસ્ત માન્યતાઓ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલી આ રૂઢિચુસ્ત માન્યતા અને મહિલાઓની દૂર રાખવાની ગેરમાન્યતાના કારણે જ આ ઘટના બની છે. સ્ત્રીઓમાં જે માસિક ધર્મની વ્યવસ્થા ખુદ ભગવાને રાખી છે. એ વ્યવસ્થા પર શંકા કરી અને મહિલાઓને દૂર રાખવાની સંતોની આ માન્યતાએ આ ઘટનાને મોટું સ્વરૂપ આપ્યું છે.
શું છે આક્ષેપ?
કોલેજમાં વિદ્યાર્થિનીઓનું શોષણ કરાતું હતું. નિવસ્ત્ર કરીને વિદ્યાર્થિનીઓની તપાસ કરાતી હતી. આ મુદ્દે વિદ્યાર્થીનીઓએ વિરોધ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.
માસિક ધર્મને લઈને વિદ્યાર્થિનીઓનું કરાતુ હતું ચેકિંગ
શ્રી સહજાનંદ ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
ભવિષ્યમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવશેઃ કોલેજ સંચાલક
વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર કોલેજ અને હોસ્ટલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે એવી પણ ધમકી અપાઇ હતી કે આ પ્રકારે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઇને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઇ શકે છે. જેમને અભ્યાસ કરવો હોય તે એ કરે બાકીની વિદ્યાર્થીનીઓ ઘરે જઇ શકે છે. સાથે એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જે થાય તે કરી લેવાનું.
કૉલેજની વિદ્યાર્થિનીઓની વૉશરૂમમાં લઇ જઇને તપાસ
વિદ્યાર્થિનીઓની માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક બાદ એક વિદ્યાર્થીનીને વોશરૂમમાં લઇ જઇને તપાસ કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીનીઓને ક્લાસની બહાર બેસાડવામાં આવી હતી.
મામલો વકરતા કોલેજના સંચાલકોએ માફી માંગી
આ મામલો વકરતા કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવવામાં આવી હતી. જ્યાં તેમને ઇમોશનલ બ્લેકમેલ કરીને વાત પર પૂર્ણ વિરામ મૂકવા કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર તેમની પાસે લખાણ પણ લેવાયું હતું. સંચાલકોએ કહ્યું હતું કે, જો અમારા પ્રત્યે લાગણી હોય તો પગલા લેવાની વાત ના કરો.