સામાન્ય રીતે 12 વર્ષે એક વાર કુંભ મેળો યોજાય છે. પણ આ વર્ષે તે 11 વર્ષે આવી ચૂક્યો છે. અનેક વર્ષો જૂના આ મેળામાં 4 વાર એવું પણ થયું છે કે તે 12 વર્ષના બદલે 1 વર્ષમાં ફરી વખત આવ્યો હોય. લોકો આ મેળામાં સ્નાન કરશે. જો કે શાહી સ્નાન અને અખાડાને આવનારા કુંભ મેળામાં માન્યતા અપાશે નહીં. પણ હરિગંગા કિનારે કુંભમેળાનો યોગ બન્યો હતો. 1072માં આવલા કુંભ મેળા બાદ તરત જ બીજા વર્ષે 1073માં પહેલીવાર 1 વર્ષ બાદ હરિદ્વારમાં કુંભનો યોગ બન્યો હતો.
2021માં યોજાઈ રહ્યો છે કુંભ મેળો
12 ને બદલે 11 વર્ષે આવ્યો છે કુંભમેળો
ચોથી વખત એવું થશે કે કુંભમેળો 11 વર્ષમાં આવ્યો હોય
હરિદ્વારમાં થનારા કુંભ મેળાને માટે જ્યોતિષાચાર્યોના અનુસાર કુંભનું મહત્વ ગુરુના કુંભ રાશિમાં પ્રવેશ તથા સૂર્યના મેષ રાશિમાં પ્રવેશની સાથે જોડાયેલું છે. ગ્રહોની સ્થિતિ હરિદ્વારથી વહેતી ગંગાના કિનારા પર સ્થિત હરકી પૌડી સ્થાન પર ગંગા જળને ઔષધિકૃત કરે છે. આ દિવોસમાં આ જળ અણૃતમય થઈ જાય છે. જ્યારે ગુરુ કુંભ રાશિમાં હશે અને સાથે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે હરિદ્વારમાં કુંભનું સ્નાન થશે.
2021માં ગુરુ કુંભ રાશિમાં 9 એપ્રિલે આવશે
આ વર્ષે 2021માં ગુરુ કુંભ રાશિમાં 9 એપ્રિલે આવશે અને સૂર્ય મેષ રાશિમાં 14 એપ્રિલે આવી રહ્યો છે. આ કારણે વર્ષ 2022માં ન થઈને કુંભ 2021માં આવ્યો છે. દર વર્ષે સૂર્ય મેષમાં બૈસાખીના દિવસે આવે છે પણ તે સમયે ગુરુ કુંભ રાશિમાં હોતો નથી. ગુરુના આ રાશિથી ફરીથી તે રાશિમાં આવવા માટે 11 વર્ષ અને 318 દિવસ લાગે છે. આ કારણે કુંભનું આયોજન 12 વર્ષે કરાય છે. પણ સાથે દર 8 વર્ષમાં એવો યોગ બને છે કે કુંભ 11 મા વર્ષે આવે છે.
ક્યારે ક્યારે યોજાયો મેળો
મળતી માહિતી અનુસાર સોમવાર 1 એપ્રિલ વર્ષ 1072માં કુંભ મેળાનું પ્રમુખ વૈશાખી સ્નાન થયું હતું. અને પછી તરત જ બીજા વર્ષે પણ આ અવસર આવ્યો હતો અને 1073માં જ ફરીથી કુંભ સ્નાનનો યોગ બન્યો હતો. આ પછી રવિવાર 5 એપ્રિલ 1333 અને સોમવાર 5 એપ્રિલ 1334, શનિવાર 6 એપ્રિલ 1417, ગુરુવાર 11 એપ્રિલ 1760 અને શુક્રવાર 11 એપ્રિલ 1761માં કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો.
આવતા કુંભને મળે છે મહત્વ
હરિદ્વારના તીર્થ પુરોહિતોની પાસે રાખેલી બુકમાં લખ્યું છે કે આવતા કુંભને મહત્વ અપાયું છે. આ કારણ રહ્યું છે કે તે સમયે આવનારા વર્ષે થનારા કુંભ મેળાને ઓછું મહત્વ અપાયું હતું. શાહી સ્નાનને અખાડા અને તીર્થ પુરોહિતોને પહેલા વર્ષે 1072,1333, 1416 અને 1760 માં કરાયું. આવનારા વર્ષે બની રહેલા યોગમાં લોકોને કુંભનું સ્નાન કર્યું હતું. શાહી સ્નાન અને પેશવાઈ કાઢવામાં આવી હતી.
2100થી 2200ની વચ્ચે ફરીથી થશે આવું
જ્યારથી કુંભ મેળાની શરૂઆત થઈ છે ત્યારથી ચાર જ એવા અવસર આવ્યા છે જ્યારે એક વર્ષ બાદ કુંભનો યોગ બન્યો છે. હવે આ વર્ષ 2100 થી 2200ની વચ્ચે ફરી આ યોગ બની રહ્યો છે. જ્યારે એક વર્ષ બાદ હરિદ્વારમાં કુંભનો યોગ બનશે.
2 દિવસના કારણે એક વર્ષ પહેલાં આવ્યો છે કુંભ
વિદ્નાનોની માનીએ તો 12 એપ્રિલ 2022ને ગુરુ કુંભ રાશિથી નીકળીને મીન રાશિમાં આવી રહ્યો છે. 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં આવી રહ્યો છે. આ બંનેને એકસાથે રાખવાથી કુંભ યોજાય છે. 12 એપ્રિલે ગુરુ મીન રાશિમાં રહેશે. જો ગ્રહચાલમાં 2 દિવસ વધી જાય તો કુંભ મેળો 2022માં જ થશે.