કુંબેશ્વર ધામનાં રૂદ્રાક્ષ મહોત્સવમાં આશરે 10 લાખ લોકોની ભીડ ઊમટી, એક મહિલાનું મોત તો 3000થી વધારે લોકોની તબિયત ખરાબ થયેલ છે.
કુંબેશ્વર ધામમાં રૂદ્રાક્ષ મહોત્સવનું આયોજન
આશરે 10 લાખ લોકો રૂદ્રાશ લેવા દોડ્યાં
એક મહિલાનું મોત, 3000 લોકોનું સ્વાસ્થય લથડ્યું
મધ્યપ્રદેશમાં કથાવાચક પંડતિ પ્રદીપ મિશ્રાનાં સીહોરી સ્થિત કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષ મહોત્સવનાં પહેલાં જ દિવસે ગુરુવારે ભારે ભીડનાં કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. રૂદ્રાક્ષ માટે લોકોમાં થઈ રહેલી પડાપડીનાં ચક્કરમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે 3 મહિલાઓ ગુમ થઈ ગયા હોવાની માહિતી મળી આવી છે. એટલું જ નહીં આ સ્થળ પર આશરે 10 લાખ લોકો હાજર હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર રૂદ્રાક્ષ મેળવવામાં નિષ્ફળ રહેલા લોકો પંડિત પ્રદીપ મિશ્રાની વિરોધમાં નારાઓ લગાવી રહ્યાં છે.
એક મહિલાનું થયું મોત
મંડી પોલીસ સ્ટેશન ASI ધર્મસિંહ વર્માએ જણાવ્યું કે મહારાષ્ટ્રનાં નાશિકનાં મલેગાંવથી આઈ મંગલા બાઈ જેમની ઉંમર આશરે 50 વર્ષ હશે તેમની તબિયત અચાનક જ ખરાબ થવા લાગી હતી, તેમને ચક્કર આવ્યાં અને તે જમીન પર પડી ગઈ અને તેમનું કરૂણ મોત નિપજ્યું છે. આ સિવાય છત્તીસગઢ ભિલાઈ, રાજસ્થાનનાં ગંગાપુર અને મહારાષ્ટ્રનાં બુલઢાણાની રહેનારી 3 મહિલાઓ પણ ગુમ થઈ ગઈ છે.
3000થી વધારે લોકોની તબિયત લથળી
આ ભીડભાડની વચ્ચે બુધવારે તો આશરે 2 હજાર લોકો પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં પહોંચ્યાં હતાં અને આજે બપોર સુધી તો આ આંકડો વધીને 3 હજાર સુધી પહોંચી ગયો છે. લોકોને આટલી મોટી ભીડ અને તાપને કારણે ઊલટીઓ થઈ રહી છે. કેટલાક લોકોને તો ધક્કામુકીનાં કારણે ઈજાઓ પહોંચી હોય તેવું પણ લાગી રહ્યું છે.
પંડિત મિશ્રાએ રૂદ્રાક્ષ લેવા આવતા લોકોને કહ્યું કે...
પંડિત પ્રદીપ મિશ્રાએ કહ્યું કે જે લોકો અહીંયા રૂદ્રાક્ષ લેવાની લાલચમાં આવી રહ્યાં છે તે ન આવો, ટીકિટ કેન્સલ કરાવો. અહીં આવવું હોય તો મહાદેવ માટે આવો, તેમના પાસેથી શું મળશે તે લાલચે આવો. રૂદ્રાક્ષ માટે આવવાની કોઈ જરૂરિયાત નથી.
રૂદ્રાક્ષમાં શ્રદ્ધાળુઓને ઘણી શ્રદ્ધા
શ્રદ્ધાળુઓ રૂદ્રાક્ષનું મહત્વ જણાવતાં કહે છે કે આ રૂદ્રાક્ષને પાણીમાં નાખીને પાણી પી જવાથી તેમની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. રોગ, ભૂતપ્રેત કે અન્ય કંઈપણ સમસ્યા હોય, ભલેને નક્ષત્ર ખરાબ હોય તો પણ તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે.