ટીમ ઈન્ડિયાનાં ચાઈનામેન બોલરનાં કોચે કહ્યું ભારતીય ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવ સાથે અન્યાય કરી રહ્યું છે. કુલદીપ યાદલ સાથે ગેરકાયદેસરનું વર્તન થઈ રહ્યું છે, કોચ અને કેપ્ટનની મહાનતા ક્યાં છે ?
છેલ્લે 2019માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી
કુલદીપ સાથે ગેરકાયદેસરનું વર્તન થઈ રહ્યું છે
2017માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું
કુલદીપનાં કોચે ટીમ મેનેજમેન્ટ પર સવાલ કર્યાં
ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવની અદેખાઈ કરવામાં આવી ત્યારબાદ વિરાટ કોહલી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કુલદીપ યાદવે છેલ્લે 2 વર્ષ પહેલા ટેસ્ટ મેચ રમી હતી ત્યારથી તે ટેસ્ટ મેચમાં વાપસી કરવા માટે તરસી રહ્યો છે. કુલદીપ યાદવે પોતાની લાસ્ટ ટેસ્ટ મેચ વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમી હતી. તે મેચમાં કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવનાં બાળપણનાં કોચ કપિલ પાંડેએ એક ઈન્ટરવ્યૂમાં ભારતીય ટીમ મેનેજમેન્ટને ખૂબ વખોડ્યુ છે.
કુલદીપ સાથે અન્યાય થઈ રહ્યો છે
કપિલ પાંડે મુજબ કુલદીપ યાદવને ટેસ્ટમાં તક નથી આપવામાં આવત, નહીતો તે 200 ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યો હોત. કુલદીપ યાદવનાં કોચે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં ઓછી તક આપવાને લીધે કુલદીપ યાદવ હાલ 200 ટેસ્ટ વિકેટ નથી લઈ શક્યો. ભારતીય ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવ સાથે અન્યાય કરી રહ્યું છે. કુલદીપ સાથે ગેરકાયદેસરનું વર્તન થઈ રહ્યું છે ત્યારે કેપ્ટન અને કોચની મહાનતા ક્યાં જતી રહી છે.
બે વર્ષથી કુલદીપને તક નથી અપાઈ
કુલદીપ યાદવનાં કોચ કપિલ પાંડેએ ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને કુલદીપ યાદવને પસંદ ના કરવા અંગેનું કારણ પૂછ્યું છે. ચાઇનામેન બોલર તરીકે ઓળખાતા કુલદીપ યાદવનાં કોચે કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટે ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ શાહબાઝ નદીમને પસંદ કર્યો પણ કુલદીપ યાદવની અદેખાઈ કરવામાં આવી, આવું કેમ. કુલદીપે તેની છેલ્લી ટેસ્ટમાં 5 વિકેટો લીધી હતી. ત્યારબાદથી ટીમ ઈન્ડિયાએ તેને કોઈ તક નથી આપી. વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ નદીમને તકો આપવામાં આવી રહી છે પણ કુલદીપ યાદવને કેમ નહીં.
ઓસ્ટ્રેલિયા લઈ જવાયો પણ રમાડ્યો નહીં
વધુમાં કોચ કપિલ પાંડેએ કહ્યું કે, કુલદીપ યાદવ સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે, તેને ટીમમાં તક નથી આપવામાં આવી રહી અને શાહબાઝ નદીમ જેવા બાકીનાં ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. ટીમ મેનેજમેન્ટ કેમ એવા ખેલાડીઓને સામેલ કરે છે જે ટીમમાં નથી અને તેમની કોઈ તૈયારીઓ પણ નથી. કુલદીપ યાદવે 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધર્મશાલામાં તેનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ. કુલદીપ યાદવે ભારત માટે અત્યારસુધી 6 ટેસ્ટ મેચમાં 24 વિકેટ લીધી છે. કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયા ટૂરમાં સામેલ કરાયો હતો પણ તેને પૂરી સિઝન બહાર બેસાડી રખાયો હતો.