કોચિંગ સિટી કોટા શહેરમાં સોમવારે મોડી રાતે એરપોર્ટ પરિસરમાં ભીષણ આગ લાગી હતી. 3 કલાકની મહેનત બાદ અડધી રાતે 2.30 વાગે આગ પર કાબૂ મેળવી શકાયો છે
કોટા એરપોર્ટમાં હાલ કોઈ હવાઈ સેવા સંચાલિત નથી
કોટા એરપોર્ટ પરિસરમાં ભીષણ આગ લાગી હતી
3 કલાકની મહેનત બાદ અડધી રાતે આગ પર કાબૂ મેળવી શકાયો
કોટા એરપોર્ટ પરિસરમાં ભીષણ આગ લાગી હતી
કોચિંગ સિટી કોટા શહેરમાં સોમવારે મોડી રાતે એરપોર્ટ પરિસરમાં ભીષણ આગ લાગી હતી. ભારે પવનની સાથે એરપોર્ટ પરિસરમાં આગ ઝડપથી ફેલાઈ હતી. આગના સમાચાર મળતા એરપોર્ટ અને જિલ્લા પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કોટા ઉત્તર પર દક્ષિણ નગર નિગમ, કોટા થર્મલ, ડીસીએમ ફેક્ટ્રી અને સિવિલ ડિફેન્સની ફાયર ફાયટરની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. લગભગ 3 કલાકની મહેનત બાદ અડધી રાતે 2.30 વાગે આગ પર કાબૂ મેળવી શકાયો છે.
નેશનલ હાઈવેના ઝાલાવાડ તરફના એરોડ્રમ તરફ જનારો રોડ વન- વે કરી દીધો
મળતી માહિતી મુજબ આગ રાતે લગભગ 11.30 વાગે લાગી હતી. જોત જોતામાં વિખરાળ રુપ ધારણ કરી લીધું હતુ. આગ સુકા ઘાંસમાં લાગવાના કારણે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. લગભગ 7 ફાયર ફાયટરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે ઝાલાવાડ નેશનલ હાઈવે પર બનેલા એરપોર્ટની 12 ફુટ ઉંચી સુરક્ષા દિવાલને આગ ટચ કરી રહી હતી. તેવામાં રોડ પરથી પસાર થઈ રહેલા વાહનોની સુરક્ષાને જોતા પોલીસ પ્રશાસને નેશનલ હાઈવેના ઝાલાવાડ તરફના એરોડ્રમ તરફ જનારો રોડ વન- વે કરી દીધો હતો.
કોટા એરપોર્ટમાં હાલ કોઈ હવાઈ સેવા સંચાલિત નથી
એર પોર્ટ પર વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ ફોર્સ તૈનાત કરાઈ હતી. તેવામાં એક ફાયર ફાયટર માટીમાં જઈ ફસાયું હતુ. જેમાં એક ફાયર જવાનને સામાન્ય ઈજા થઈ હતી. કોટા એરપોર્ટમાં હાલ કોઈ હવાઈ સેવા સંચાલિત નથી. તેવામાં રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગ લાગી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટીની સુરક્ષામાં બેદરકારી છતી થઈ છે. આના પર નગર નિગમના ફાયર વિભાગના અધિકારીઓએ અનેકવાર એરપોર્ટ ઓથોરિટી પ્રશાસનને દિવાલની ગેપને બંધ કરવાની વાત કરી છે.
આગ લાગવાનું આ છે મોટું કારણ
2થી 3 વસ્તી એરપોર્ટની દિવાલની પાસે વસી છે. જ્યાં કેટલાક લોકો તથા સ્મૌકચી અંદર શૌચ કરવા માટે પહોંચી જાય છે. તે ત્યાં બીડી સિગરેટ સળગતી છોડી દે છે. આ કારણે એરપોર્ટ પરિસરમાં વરસાદ દરમિયાન ઉગનારા ઘાસમાં ઉનાળામાં સુકા ઘાંસમાં આગ પકડાય છે. એરપોર્ટની પાસે સ્થિત પેટ્રોલ પંપને લઈને પણ મોટું સંકટ હંમેશાથી બનેલું રહે છે.