તમે પુસ્તકો અને ઈન્ટરનેટ પર જોયુ જ હશે કે પૃથ્વી ગોળ હોય છે તેના પર પાણી પણ દેખાય છે. પરંતુ ક્યારેય વિચાર્યુ છે કે આખરે પાણી પડતુ કેમ નથી?
પૃથ્વીનું પાણી નીચે કેમ નથી પડતુ?
જાણો તેના પાછળ શું છે કારણ
પૃથ્વીની સપાટી પર પાણી કઈ રીતે ટકેલું છે?
જ્યારે પણ તમે પૃથ્વીનો નક્ષો જોયો હશે. તો તમે જોયુ હશે કે પૃથ્વી પર અલગ અલગ દેશ જોવા મળે છે. આ દેશોના નક્ષા ઉપરાંત દરેક જગ્યા પર ફક્ત પાણી જ પાણી જોવા મળે છે. તે ઉપરાંત તમે એ પણ જાણો છો કે પૃથ્વી અંતરિક્ષમાં છે અને સૂર્યના ચક્કર લગાવવાની સાથે પોતાની ધરી પર તે ફરે છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ હશે કે જ્યારે પૃથ્વી ગોળ રહે છે અને અંતરિક્ષમાં ફરે છે તો પૃથ્વીની સપાટી પર આ પાણી કઈ રીતે ટકેલુ રહે છે. આખરે તે સ્પેસમાં પડતુ કેમ નથી.
પૃથ્વી પર રહેલું પાણી નીચે ન પડવાનું કારણ છે ગુરૂત્વાકર્ષણ બળ. હકીકતે, ગુરૂત્વકર્ષણ બળના કારણે પૃથ્વી દરેક વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
એવામાં પૃથ્વીનું સેન્ટર પોઈન્ટ દરેક સામાનને પોતાની તરફ આકર્ષે છે. એવુ નથી કે ગુરૂત્વાકર્ષણ નીચેની તરફથી કામ કરે છે. પરંતુ દરેક બાજુથી પૃથ્વીની તરફથી સામાનને આકર્ષિત કરે છે.
આજ કારણ છે કે પૃથ્વીના દરેક ભાગમાં ગુરૂત્વાકર્ષણ કામ કરે છે અને દરેક વસ્તુ જમીન પર ટકી રહે છે. આ કારણે પાણી પણ જમીન સાથે અડીને રહે છે.
જમીનની અંદર કેટલું પાણી છે?
પાણીનું 97 ટકા સમુદ્ર છે. 1.6 ટકા પાણી જમીનની નીચે છે. જ્યારે 0.001 ટકા ભાગ વરાળ અને વાદળોના સ્વરૂપમાં છે. ફક્ત ત્રણ ટકા પાણી પીવા લાયક છે જેમાંથી 2.4 ટકા ગ્લેશિયરો અને ઉત્તરી-દક્ષિણી ધ્રુવમાં જમા થયું છે. તેમણે જણાવ્યું કે ફક્ત 0.6 ટકા પાણી નદીઓ, ઝીલ અને તળાવોમાં છે. જેને ઉપયોગ કરી શકાય છે.