કરોલી શંકર બાબા સંતોષ સિંહ ભદૌરિયા કોણ છે? રાતોરાત કઈ રીતે ફેમસ થઈ ગયા? અને કઈ રીતે કરોડોનું સામ્રાજ્ય બનાવી લીધુ? આ એ સવાલ છે જે કરોલી બાબાના ચર્ચામાં આવ્યા બાદ દરેક લોકોના મનમાં આવી રહ્યો છે.
કોણ છે કરોલી શંકાર બાબા સંતોષ સિંહ ભદૌરિયા?
રાતોરાત કઈ રીતે ફેમસ થઈ ગયા આ બાબા?
કઈ રીતે બનાવી લીધુ કરોડોનું સામ્રાજ્ય?
ભક્તની મારપીટના આરોપમાં ઘેરાયેલા કરોલી બાબા સંતોષ સિંહ ભદૌરિયા હાલ ચર્ચામાં છે. આજના કરોલી સરકાર બાબા ક્યારેક ઉન્નાવના પવઈ ગામના સંતોષ સિંહ ભદૌરિયા હતા.
એક સામાન્ય પરિવારમાં જન્મેલા સંતોષનું બાળપણ ગરીબીમાં પસાર થયું. પરંતુ જેમ જેમ તે મોટા થતા ગયા તેમના સમયના પણ મોટા થતા ગયા પરંતુ કિસ્મત સાથ ન હતી આપતી.
બાબાએ કર્યા હતા 2 લગ્ન
તેને લાગ્યું કે લગ્ન બાદ કદાચ કિસ્મત બદલાઈ જાય. ત્યાર બાદ તેમણે રેલ બજારમાં રહેતી યુવતી સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન બાદ પણ સ્થિતિ ખરાબ હતી.
સંતોષને લાગ્યું કે તેમની પત્ની જ તેના માટે જવાબદાર છે. લગ્નના ત્રણ વર્ષની અંદર જ તે પત્નીથી અલગ થઈ ગયા. થોડા સમય બાદ મમતા તિવારી સાથે તેમણે બીજા લગ્ન કર્યા.
ટેમ્પોના સહારે ચાલી રહ્યું હતું ઘર
મમતાનો પરિવાર આર્થિર રીતે મજબૂત હતો. તેમના ઘણા પ્લોટ અને જમીન-મીલકત હતી. લગ્ન બાદ મમતાના ઘરના લોકોએ સંતોષને એક ટેમ્પો ખરીદીને આપ્યો.
હવે ટેમ્પોના સહારે તેમનું ઘર ચાલી રહ્યું હતું. મમતા અને તેના બન્ને દિકરા લવ અને કુશ હતા. પરંતુ સંતોષનું મન હજુ પણ ન હતું લાગતું. તેમને ઓછા સમયમાં ઘણા પૈસા કમાવવા હતા.
શિવસેનાથી ભાકિયૂ સુધીની સફર
કોઈ રસ્તો ન મળ્યો તો તેમણે રાજનીતિમાં જવાનો નિર્ણય કર્યો. સંતોષે શિવ સેના જોઈન કરી, પરંતુ ત્યાં પણ આગળ આવવાની તક ન મળી. જેથી શિવસેના છોડીને તેમણે ભારતીય કિસાન યુનિયન જોઈન કરી લીધુ અને કિસાન નેતા બની ગયા. કિસાન યુનિયનના ઘણા ધરણા પ્રદર્શનમાં આગળ વધીને ભાગ પણ લીધો. ઘણી વખત લાકડી પણ ખાધી.
અયોધ્યા હત્યાકાંડમાં આવ્યું હતું નામ
પરંતુ પછી અમુક સમય બાદ નેતાગીરીથી તેમનું મન ભરાઈ ગયું. તેમણે નવો ધંધો શરૂ કર્યો. વિવાદિત જમીનની ખરીદી-વેચાણ એટલે કે હવે તે પ્રોપર્ટી ડીલર બની ચુક્યા હતા.
પ્રોપર્ટી ડિલર બન્યા બાદ ઘણા લોકો સાથે તેમની દુશ્મની પણ રહી. તે સમયે 4 ઓગસ્ટ 1992ના કાનપુરના ફઝલગંજ વિસ્તારમાં અયોધ્યા પ્રસાદ નામના એક શખ્સની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
કેરળ ગયા સંતોષ
ત્યાર બાદ તેમણે તે ધંધામાં કૂદવાનો નિર્ણય કર્યો જેમાં ખર્ચ ન થાય અને નફો વધારે થાય એટલે બાબાગીરીની દુકાન. ત્યાર બાદ હવે સંતોષ કેરળ જતા રહ્યા. ત્યાં જઈને તે અલગ અલગ રીતે થેરાપી શીખે છે. સંપૂર્ણ રીતે શીખીને તેઓ પરત કાનપુર આવ્યો.
કાનપુર આવ્યા બાદ સિવિલ લાઈન્સ પોતાના ઘરમાં જ એક ક્લિનિક ખોલી લે છે. આ ક્લિનિકમાં તે આયુર્વેદિક લેપ દ્વારા અલગ અલગ પ્રકારની બીમારીઓની સારવારનો દાવો કરે છે.
ધીરે-ધીરે ફેમસ થવા લાગ્યા કરોલી બાબા
ધીરે-ધીરે આશ્રમ 14 એકડ જમીનમાં ફેલાઈ જાય છે. ફેલાયેલા આશ્રમની સાથે હવે સંતોષ સિંહની અદ્રશ્ય શક્તિઓ અને તાકાતની વાત પણ ફેલાઈ જાય છે. ધીરેધીરે આ વાત લોકોના કાન સુધી પહોંચે છે.
હવે એ ફેમસ થવા લાગે છે કે સંતોષ સિંહ શિવની શક્તિ અને તંત્ર મંત્રથી લોકોને ગંભીરથી ગંભીર બિમારીઓની સારવાર કરે છે.