આવતીકાલે એટલે કે 1 એપ્રિલનાં ઓજ ચૈત્ર અમાસ છે. જાણો આ દિવસે ક્યા પ્રકારે પૂજા કરવી અને કાલસર્પ દોષ દૂર કરવા શું કરવું જોઈએ
1 એપ્રિલનાં રોજ છે ચૈત્ર મહિનાની અમાસ
દાન કરવું આ દિવસે માનવામાં આવે છે શુભ
કાલસર્પ દોષ પણ કરી શકાય છે દૂર
1 એપ્રિલનાં રોજ છે ચૈત્ર મહિનાની અમાસ
ચૈત્ર મહિનાની અમાસ શુક્રવાર એટલે કે 1 એપ્રિલ 2022નાં રોજ છે. આ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખ છે. ત્યાર બાદથી ચૈત્ર શુક્લ પ્રતિપદાનો પ્રારંભ થશે, જેથી નવરાત્રી શરુ થઇ જશે. આ વર્ષે ચૈત્ર અમાસનો સમય 31 માર્ચ ગુરુવારે બપોરે 12 કલાક 22 મિનિટથી શરુ થઇ રહ્યો છે, આ સમયનું સમાપન આગલા દિવસે 1 એપ્રિલ સવારે 11 કલાક અને 53 મિનિટ પર થશે. અમાસમાં સૂર્યોદય સમયે દાન કરવું શુભ માનવામાં આવે છે. ચૈત્ર અમાસનાં દિવસે નદીમાં સ્નાન કર્યા બાદ દાન કરવાની પરંપરા છે. આ દરમિયાન પિતૃને પ્રસન્ન કરવા માટે તર્પણ, દેવતાઓને પાણીનો પ્રસાદ ચઢાવવો વગેરે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. પિતૃ જ્યારે ખુશ થાય છે, તો સુખ સમૃદ્ધિનાં આશીર્વાદ આપે છે. અમાસનાં રોજ કુંડળીમાં કાલસર્પ દોષથી મુક્તિનાં ઉપાયો પણ કરવામાં આવે છે. આવો જાણીએ ચૈત્ર અમાસ પર બનવાવાળા યોગ અને કાલસર્પ દોષથી મુક્તિનાં ઉપાયો.
બ્રહ્મ તથા ઇન્દ્ર યોગ
1 એપ્રિલ 2022નાં રોજ ચૈત્ર અમાસઆ દિવસે સવારે બ્રહ્મ યોગ બને છે, જે સવારે 9:37 સુધી છે. ત્યાર બાદ ઇન્દ્ર યોગ શરુ થાય છે. આ બંને યોગ શુભ માનવામાં આવે છે. સવારે 10 કલાક 40 મિનિટથી સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે. આ યોગમાં શુભ કાર્યો સફળ થાય છે. ચૈત્ર અમાસ પર ભાદ્રપદ્ર તથા રેવતી નક્ષત્રનો પણ સંયોગ બને છે.
કાલસર્પ દોષથી મુક્તિનાં ઉપાયો
ચૈત્ર અમાસનાં દિવસે કાલસર્પ દોષથી મુક્તિ માટે સૌથી સરળ ઉપાય છે ભગવાન શિવની પૂજા. આ દિવસે તમે કોઈપણ શિવ મંદિર જાઓ અને ભગવાન શિવની ભક્તિભાવથી પૂજા કરો. પૂજાના સમયે દૂધ જરૂર અર્પિત કરવું જોઈએ. શિવની કૃપાથી બધા દોષ દૂર થાય છે.
અમાસનાં દિવસે નદીમાં સ્નાન કરવું જોઈએ, ત્યાર બાદ ચાંદીનાં બનેલા નાગ નાગણની પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. ત્યાર બાદ તે નાગ નાગણને વહેતા પાણીમાં પ્રવાહિત કરવામાં આવે છે.
જો તમે દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરો છો, તો કાલસર્પ દોષથી મુક્તિ મળી શકે છે.
કાલસર્પ દોષથી મુક્તિ માટે રાહુની પૂજા કરવામાં આવે છે. તમે કોઈપણ શિવ મંદિરમાં રાહુની પૂજા કરાવી શકો છો.