બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / know what not to do on apara ekadashi today

અપરા એકાદશી / આજે અપરા એકાદશી પર બને છે ખાસ સંયોગ, ભૂલથી પણ ન કરતા આ 4 કામ નહીં તો પસ્તાવાનો વારો આવશે

Khevna

Last Updated: 09:26 AM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે 26 મેનાં રોજ અપરા એકાદશી છે. જાણો આજે ક્યા ક્યા કાર્યો કરવાથી બચવું જોઈએ.

  • આજે છે અપરા એકાદશી 
  • દર વર્ષે 24 એકાદશી મનાવવામાં આવે છે 
  • આજના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 4 કામ 

આજે છે અપરા એકાદશી 

હિંદુ પંચાંગ પ્રમાણે દર વર્ષે કુલ 24 એકાદશી મનાવવામાં આવે છે. આ પ્રકારે એક મહિનામાં બે એકાદશી આવે છે. પહેલી કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી આજે એટલે કે 26 મેનાં રોજ ગુરુવારે છે. ખાસ વાત એ છે કે અપરા એકાદશી આ વર્ષે આયુષ્માન યોગમાં મનાવાઇ રહી છે. જ્યોતિષો અનુસાર, અપરા એકાદશીનાં દિવસે અમુક કામ વર્જિત હોય છે. 

અપરા એકાદશીનાં દિવસે ન કરવા જોઈએ આ કામ 

1. અપરા એકાદશીનાં દિવસે ચોખા ન લેવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિનું  મન ચંચળ બને છે અને ઈશ્વરની ભક્તિનાં સમયે એકાગ્રતા પણ ભંગ થાય છે. એમ કહેવામાં આવે છે કે માતા શક્તિનાં ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ શરીરનો ત્યાગ કર્યો હતો. તેમનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યાર બાદ ચોખા અને જવનાં રૂપમાં મહર્ષિ મેધા ઉત્પન્ન થયા હતા, એટલા માટે ચોખા અને જવને જીવની પદવી આપવામાં આવી છે. 

2. એકાદશીનાં દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. આ દિવસે, લસણ, ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત, માંસ કે મદિરા પાનનો તો વિચાર પણ મનમાં ન આવવો જોઈએ. એકાદશીનું વ્રત કરનારાઓએ બ્રહ્મચર્યાનું પાલન કરવું જોઈએ. 

3. એકાદશીના દિવસે બેડ કે પલંગ પર સુવાને બદલે જમીન પર જ સુવું જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ અથવા આ પ્રકારના વિચારો પણ કરવાથી બચવું જોઈએ. 

4. એકાદશી પર કાળા કપડા ન પહેરવા જોઈએ. કાળા કપડાને બદલે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાથી લાભ મળશે. પૂજા દરમિયાન પણ પીળા રંગના જ કપડા પહેરવા જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ