દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, ગત 24 કલાકમાં કોરોના વાયરસથી દેશભરમાં 47 લોકોના મોત થયા છે અને 1336 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 18,985 થઇ ગઇ છે. જેમાંથી 14,759 એક્ટિવ કેસ છે. જ્યારે 3260 લોકો કોરોના બીમારીથી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 603 લોકોના મોત થઇ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
દિલ્હી-નોઇડા બોર્ડર પૂર્ણ રીતે બંધ કરાઇ
દિલ્હી-નોઇડા બોર્ડરને હાલ પૂરતી બંધ કરી દેવાઇ છે. આ વિશેની જાણકારી નોઇડાના કલેક્ટરે ટ્વીટ કરી છે. તેઓએ કહ્યું કે ચિકિત્સા વિભાગની સલાહ અનુસાર, સાર્વજનિક હિતમાં કોરોના વાયરસથી લડવા માટે એક ઉપાય રીતે અમે પૂર્ણ રીતે દિલ્હી-નોઇડા બોર્ડર બંધ કરી રહ્યા છીએ.
Dear residents,
As per the medical department advice, in the larger public interest, as a preventive measure to fight Covid 19, we are closing Delhi-GB nagar/Noida border completely, with following specified exceptions. You are kindly requested to cooperate. StayHome StaySafe🙏 pic.twitter.com/es4ap51XVW
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, આજે નવા 552 કેસ, 19 મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે કોરોના સંક્રમણના નવા 552 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 5,218 કેસ થઇ ગયા છે અને 251 લોકોના મોત થઇ ચૂક્યા છે.
552 new COVID-19 cases & 19 deaths reported in Maharashtra today, taking total number of cases to 5218 & deaths to 251 in the State. With 150 patients discharged from hospitals today, the number of cured patients stands at 722: Maharashtra Health Department pic.twitter.com/piFuY8ntPl
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ ભરડો લીધો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજના દિવસ દરમિયાન 112 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે. આજે 8 લોકો સાજા થયાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2178 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 75 સૌથી વધુ કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે. આજે કોરોના વાયરસથી 13 લોકોના મોત થયાં છે. ગત 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ આવ્યા છે તો 3274 નેગેટિવ આવ્યા છે.
દિલ્હીમાં કોરોનાના નવા 75 કેસ
દિલ્હીમાં કોરોના વાયરસના નવા 75 કેસ સામે આવ્યા છે. તેની સાથે દિલ્હીમાં કોરોના વાયરસના કુલ 2156 કેસ નોંધાયા છે.
75 new #COVID19 cases reported today; the total number of positive cases in Delhi is 2156: Delhi Health Department pic.twitter.com/GkwqGzJQT4
કોરોના વાયરસ: ICMRએ રેપિડ ટેસ્ટિંગ પર લગાવી 2 દિવસ માટે રોક
કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ICMR એ રેપિડ ટેસ્ટિંગ કિટને લઇને રાજ્યો માટે એક સલાહ આપી છે. આઇસીએમઆરે મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તમામ રાજ્યોમાં રેપિડ કિટ વહેંચવામાં આવી છે. કેટલાક રાજ્યોથી કિટ સંબંધી કેટલીક ફરિયાદ મળી રહી હતી. જે બાદ આઇસીએમઆરે ટેસ્ટિંગ પર રોક લગાવી દીધી છે. આઇસીએમઆરે રાજ્યોને બે દિવસ સુધી રેપિડ ટેસ્ટના ઉપયોગ ન કરવા માટે નિર્દેશ આપ્યા છે. તેની સાથે એમ કહ્યું છે કે બે દિવસ બાદ દિશા નિર્દેશ જાહેર કરાશે. આઇસીએમઆરે કહ્યું કે હાલ સુધીમાં 4,49,810 ટેસ્ટ થયા છે. સોમવાર 35,000થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ધારાવીમાં કોરોનાના આજે 12 નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ધારાવીમાં આજે કોરોના વાયરસના સંક્રમણના 12 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. ધારાવીમાં કોરોના વાયરસના કુલ 179 કેસ છે અને 12 લોકોના મોત થયા છે.
દિલ્હીના મીડિયા કર્મીઓની કોરોના તપાસ કરાશે : CM કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે કહ્યું કે દિલ્હીમાં તેમની સરકાર મીડિયા કર્મચારીઓની કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરાવશે. મુંબઇમાં 53 મીડિયા કર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા બાદ કેજરીવાલે આમ જાણકારી આપી.
લૉકડાઉન : મુંબઇમાં માસ્ક નહીં પહેરનાર 1330 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
કોરોના મહામારી પર કાબૂ મેળવવા લાગૂ કરાયેલ લૉકડાઉન દરમિયાન સાર્વજનિક સ્થાનો પર માસ્ક નહીં પહેરવાને લઇને મુંબઇ પોલીસે ગત 13 દિવસોમાં 1330 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યા છે. એક અધિકારીએ મંગળવારે આમ જાણકારી આપી છે.
ટાટા મોટર્સે કોમર્શિયલ વાહનોની વૉરન્ટી બે મહીના વધારી
ટાટા મોટર્સે મંગળવારે કહ્યું કે તેણે પોતાના એ તમામ કોમર્શિય વાહનોની વૉરન્ટી મર્યાદા બે મહીના સુધી વધારી દીધી છે, જે સમયમર્યાદા લૉકડાઉન દરમિયાન ખતમ થઇ રહી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 18601 થઇ ગયા છે. જ્યારે કુલ 590 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 3252 લોકો કોરોના વાયરસ બીમારીથી સાજા થયા છે. જેમાંથી 705 લોકો એક દિવસમાં ઠીક થયા છે. જે બાદ દર્દીઓના સાજા થવાની ટકાવારી વધીને 17.48 થઇ ગઇ છે. જ્યારે દેશના 61 જિલ્લા કોરોના વાયરસથી મુક્ત થયા છે.
Till now, there are 18601 positive cases. So far, 3252 people have recovered including 705 people who recovered yesterday. This takes our recovery percentage to 17.48%: Lav Agrawal, Joint Secy, Health Ministry pic.twitter.com/Y9xP3Toq0J
ચેન્નઇમાં એક ટીવી ચેનલના ઘણા પત્રકારો સહિત 25 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામના પરિવારજનોને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવશે.
નોઇડામાં કોરોના સંક્રમણના કેસ વધીને 100 થયા
ગૌતમબુદ્ધ નગરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 100 થઈ ગયા છે. જ્યારે 43 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ કરી દેવાયા છે. કલેક્ટર સુહાસ એલ વાઇએ આ અંગેની જાણકારી આપી છે.
ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ, કુલ આંકડો 2066 પર પહોંચ્યો
ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોનાની આંકડાકીય માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. કુલ આંકડો 2066 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુનો આંક 77 પર પહોંચ્યો છે. 131 લોકો સાજા થયા. 1839 જે લોકોની સ્થિતિ સારી છે. 19 લોકો વેન્ટીલેટર પર છે.
દેશમાં કોરોના વાયરસનું પ્રથમ પ્લાઝમા પરીક્ષણ સફળ રહ્યું
દેશમાં કોરોના વાયરસનું પ્રથમ પ્લાઝમા પરીક્ષણ સફળ રહ્યું છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દી પર પ્લાઝમા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોમવારે વેન્ટિલેટરમાંથી તેને હટાવ્યા પછી પણ તેની સ્થિતિ વધુ સારી છે. હોસ્પિટલે તાજેતરમાં પ્લાઝમા ટેક્નોલોજી ટ્રાયલ શરૂ કર્યું હતું. આ થેરાપીમાં કોરોનામાંથી સાજા થઈ ગયેલા લોકોનું પ્લાઝમા ચેપગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવે છે. આ પ્રક્રિયા દેશમાં પહેલી વાર સફળ થતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યના 3 શહેરમાં કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાજકોટ અને સુરતમાં પણ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. જે વિસ્તારોમાં કર્ફ્યુ હતો તે જ વિસ્તારમાં કર્ફ્યું રહેશે. નવા કોઇ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો નથી. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાંથી કોરોનાના પોઝિટિવ કેસ અને મોત વધુ થવાનું સામે આવતા આ નિર્ણય લેવાયો છે.
ક્રૂડના ભાવ ઘટતાં ભારતને શું ફાયદો?
ક્રૂડ ઘટતા ભારતને વેપાર ખાધમાં રાહત મળશે. પેટ્રોલ-ડીઝલના ભાવ લિટર દીઠ રૂ.2 સુધી ઘટી શકે છે.
ઔદ્યોગિક એકમોને ફાયદો થશે, આયાત પડતર નીચી રહેશે. ભારત ક્રૂડની સંગ્રહ શક્તિમાં વધારો કરશે, ડોલર તૂટે તો ફાયદો વધુ થશે. નીચા ભાવથી ક્રૂડ રિઝર્વ કરવાની ભારતીય આયાતકારોને ઉત્તમ તક મળશે.
નવા આદેશ ન આવે ત્યાં સુધી કેન્ટીન રહેશે બંધ
કેન્દ્ર સરકારે તેની તમામ કચેરીઓમાં ચાલતી ખાતાકીય કેન્ટીનને કોરોના વાયરસ રોકવા માટે લેવામાં આવતા પગલાઓના ભાગ રૂપે બંધ કરી દીધી છે. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સક્ષમ અધિકારીની મંજૂરીથી, નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારના મંત્રાલયો / વિભાગો / કચેરીઓમાં તમામ વિભાગીય કેન્ટીન્સ તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે.
કોરોના વચ્ચે મધ્યપ્રદેશને લઇ મોટા સમાચાર
આજે CM શિવરાજ મંત્રીમંડળનુ વિસ્તરણ થઇ શકે છે. મંત્રીમંડળના કેટલાક સભ્યો શપથ લઇ શકે છે. સ્વાસ્થ્ય, ગૃહ અને રાજસ્વ વિભાગના મંત્રીઓને પ્રાથમિકતા રહેશે. આજે બપોરે શપથ લઇ શકે છે.
ડોક્ટરો અને પોલીસ બાદ પત્રકારો પણ કોરોનાની ઝપેટમાં
મુંબઇમાં સૌથી વધુ પત્રકારો કોરોનાથી સંક્રમિત થયા છે. કુલ 53 પત્રકારોને કોરોના પોઝિટિવ થયો હોવાનું જાણવા મળ્યું છે. મોટા ભાગના ફિલ્ડ રિપોર્ટરોમાં કોરોનાનો ચેપ જોવા મળ્યો છે. પત્રકાર સાથે કેમેરામેન પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે.
ચીનમાં મેન્યુફેક્ચરિંગ હબ બંધ થઈ શકે છે
ચીન પાસેથી હવે દુનિયાનું પસંદગીનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાનો ખિતાબ હવે છીનવાઈ શકે છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉદભવતા સમસ્યાઓ વચ્ચે, લગભગ 1000 વિદેશી કંપનીઓ ભારતમાં તેમના કારખાનાઓ સ્થાપવા માટે સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે. મળતી માહિતી અનુસાર કુલ કંપનીઓમાંની આમાંથી ઓછામાં ઓછી 300 કંપનીઓ મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઇસીસ, કાપડ અને કૃત્રિમ કાપડના ક્ષેત્રમાં ભારતમાં કારખાનાઓ સ્થાપવા માટે સરકાર સાથે સક્રિય સંપર્કમાં છે. જો વાતચીત સફળ થાય તો તે ચીન માટે મોટો આંચકો હશે.
કોરોના કહેર વચ્ચે ભારતમાં માટે સારા સમાચાર
23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 59 જિલ્લા કોરોનાથી મુક્ત થયા છે. પુડુચેરીમાં માહે, કર્ણાટકમાં કોડાગુ અને ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલ કોરોના મુક્ત થયા છે. કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 28 દિવસોમાં કોઈ કેસ નોંધાયો નથી.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ 19ને લઇને મુંબઇ, પૂણે, ઇન્દોર, જયપુર, કોલકાતા અને પશ્ચિમ બંગાળના કેટલાક અન્ય સ્થાનો પર સ્થિતિ 'વિશેષ રૂપે ગંભીર' છે અને લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘનથી કોરોના વાયરસ વધુ ફેલાવાનો ખતરો છે. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં કાર્યવાહી કરતા જાહેરાત કરી કે 6 આઇએમસીટી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પ.બંગાળ અને રાજસ્થાનના આ ચિન્હિત સ્થાનો પર આવનારા 3 દિવસ પ્રવાસ કરશે અને ઘટના સ્થળની સ્થિતિનું આકલન કરી કેન્દ્રને રિપોર્ટ આપશે.
ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1553 કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોરોના વાયરસના કેસ હવે 7.5 દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જ્યારે લૉકડાઉનથી પહેલા લગભગ 3.4 દિવસોમાં કેસની સંખ્યા ડબલ થઇ રહી હતી. 18 રાજ્યોમાં વધારે સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. લવ અગ્રવાલે જણાવ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાજીવ ગાંધી સ્પેશિયાલિટીની મુલાકાત લીધી અને સ્વાસ્થ્ય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1553 કેસ નોંધાયા અને 36 લોકોના મોત થયા. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 17,265 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તેઓએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થ થવાનો દર 14.75 ટકા છે. ઓરિસ્સા અને કેરળમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે.