ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 59695 થઈ. હાલમાં ભારતમાં 39819 એક્ટિવ કેસ, 17887 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા. હાલ સુધીમાં દેશમાં 1,985 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 19063 કેસ છે અને 731 લોકોના મોત થયા છે. ગુજરાત 7403 કેસ નોંધાયા છે અને 449ના મોત થયા છે. દિલ્હીમાં કુલ 6318 કેસ નોંધાયા છે અને સાથે 68 લોકોના મોત થયા છે. આ સાથે જ કર્ણાટક સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે.
(અપડેટ્સ 9 મે 2020 - સવારે 09.15 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
पिछले 24घंटों में कोरोना वायरस के 3,320 और मामले सामने आए हैं और 95 मौतें हुई हैं। भारत में कोरोना वायरस पॉजिटिव मामलों की संख्या बढ़कर 59,662 हो गई है (इसमें 39,834 सक्रिय मामले, 17,847 ठीक/ डिस्चार्ज/विस्थापित मामले और 1,981 मौतें शामिल हैं): स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/pDFNW4crKs
ICMR 75 જિલ્લામાં દેખરેખ રાખશે. દેશના 75 જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ICMRની સૌથી વધુ કેસ એવા 75 જિલ્લામાં સ્ટડી કરવાની યોજના છે. કમ્યૂનિટી ટ્રાન્સમિશનને લઇ સ્ટડી કરવાની યોજના છે.
હવે આંખ અને નાકથી પ્રવેશી રહ્યો છે કોરોના
હાલમાં કોરોના વાયરસને લઈને અનેક અટકળો સામે આવી રહી છે. આ સમયે હાલમાં જ એક નવી વાત સામે આવી છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગ દ્વારા કરવામાં આવેલી એક શોધ અનુસાર SARS-Cov-2 વાયરસ માણસોની આંખ અને ઉપલા શ્વાસ દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂથી પણ વધુ ઝડપથી લોકોને ચેપ લગાવી રહ્યો છે.
કોરોના સંકટને કારણે ફસાયેલા ભારતીયોને લવાયા સ્વદેશ
વંદે ભારત મિશન હેઠળ ભારત લાવવાનું કામ શરૂ થયું છે. દુબઇથી 177 ભારતીયોને લઇને ચેન્નઇ ઇન્ટરનેશલ એરપોર્ટ વિમાન પહોંચ્યું છે. બહરીનથી પણ 182 ભારતીયોને લઇને કોચીન વિમાન પહોંચ્યું છે. ખાડી દેશોથી 27 વિમાન, બાંગ્લાદેશથી 7 વિમાન રવાના થયા છે. દક્ષિણ-પૂર્વ એશિયાથી 14 અને અમેરિકાથી 7 વિમાનો રવાના થયા છે. લંડનથી પણ 7 વિમાનો ભારત માટે રવાના થશે. દેશના 14 શહેરોમાં ભારતીયોને માટે નિર્ણય લેવાશે. અત્યાર સુધી 67 હજાર 833 લોકોએ સ્વદેશ આવવા રજીસ્ટ્રેશન કર્યુ છે. અત્યાર સુધી 4 જહાજ સ્વદેશ પહોંચ્યા છે.
અમદાવાદમાં કોરોનાની સ્થિતિને લઈને આજે મુલાકાત કરશે. AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા, ડો. મનિષ સુલેજા અમદાવાદમાં આજે એરફોર્સના વિશેષ પ્લેનમાં બંને તબીબો અમદાવાદ આવશે. ગૃહમંત્રી અમિત શાહના સુચન બાદ બંને ડોક્ટરો અમદાવાદમાં આવશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને SVPની આજે મુલાકાત લેશે. આરોગ્ય અધિકારીઓ, ડોક્ટરોને કોરોનાની ટ્રીટમેંટ મુદ્દે સૂચન કરશે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સારવાર અંગે વિશેષ સુચનો કરશે.
ગરમી વધવાના કારણે વધી રહ્યો છે કોરોના
રાજ્યમાં અત્યાર સુધી કુલ 7403 કોરોનાના કેસ નોંધાયા છે, રાજ્યમાં સતત વરસી રહેલી અગનવર્ષાને લઇ હવામાનની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે.
SBIએ કરી આ જાહેરાત
લૉકડાઉનની સાથે જ બેંકોએ ઉઘાર લેનારાની સાથે સાથે નફા ઉપર પણ કાતર ચલાવી છે. તેનું નુકસાન એ ગ્રાહકોને વધારે થશે જેઓએ સેવિંગ્સને બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટ કરાવીને રાખી છે. આ ગ્રાહકોનો નફો હવે ઘટી ગયો છે. SBIએ લૉકડાઉનમાં 2 વખત ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.
કર્ણાટકના મુખ્યમંત્રીએ જાહેર કર્યું રાહત પેકેજ
કર્ણાટકની બીએસ યેદિયુરપ્પા સરકારે લોકડાઉનના કારણે નાના વેપારીઓ અને ખેડૂતોને સંકટથી બચાવવા માટે 1,610 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. કર્ણાટક સરકારનું આ રાહત પેકેજ ખેડૂતો, નાના ઉદ્યોગપતિઓ, હેન્ડલૂમ વણકરો, ફ્લોરિસ્ટ્સ, ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે છે. આ સાથે કર્ણાટક સરકારે પણ 11 ટકા એક્સાઈઝ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે.
ફૂલોની ખેતી કરનારા માટે કરી છે આ જાહેરાત
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદુયુરપ્પાએ કહ્યું કે માંગના અભાવે ફૂલોના નાશ કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ રાજ્યમાં લગભગ 11,687 હેક્ટરમાં ફૂલો ઉગાડવામાં આવે છે. ફૂલો ઉગાડનારાઓની સમસ્યાઓ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમને પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર 25,000 નું વળતર આપવાનું નક્કી કર્યું છે. તે ખેડૂત માટે મહત્તમ 1 હેક્ટર સુધી મર્યાદિત રહેશે. આ સિવાય શાકભાજી અને ફળો ઉગાડતા ખેડુતો તેમની પેદાશ માટે બજારમાં જઈ શકતા નથી, તેથી સરકારે તેમના માટે રાહત પેકેજની જાહેરાત કરી છે.
ધોબી અને વાળંદ માટે સરકારે લીધો આ નિર્ણય
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજ્યના ડ્રાઇવર, હેરડ્રેસર અને ધોબી સમુદાય માટે આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે. લોકડાઉનને કારણે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વાળંદ અને ધોબીના વ્યવસાયને અસર થઈ છે. આવી સ્થિતિમાં, કર્ણાટક સરકારે પેકેજ હેઠળ આશરે 2,30,000 વાળંદ અને આશરે 60,000 ધોબીઓને વ્યક્તિ દીઠ આશરે 5-5 હજાર રૂપિયાનું એક સમયનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ટેક્સી ડ્રાઈવરો માટે સરકારે લીધો આ નિર્ણય
લગભગ 7,75,000 ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને પણ 5000 રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બે મહિનાનું ફિક્સ લાઈટ બિલ માફ કરવામાં આવશે.