ભારતનાં સૌથી મોટા બીઝનેસમેનમાના એક મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. તેમની સિદ્ધિઓ ગણીએ તો કદાચ આંકડાઓ ખૂટી પડે. દેશનાં હજારો લોકોને રોજગારની સાથે સાથે દેશની પ્રગતિમાં પણ તેમનો મોટો રોલ રહ્યો છે. ત્યાં સુધી કે ભારતમાં ડિજિટલ ક્રાંતિની પાછળ પણ મુકેશ અંબાણીનું નામ લેવામાં આવે છે. આમ તો તમની ઘણી કંપનીઓ છે, પરંતુ સામાન્ય માણસોનાં મોં પર રિલાયન્સ જીયોનું નામ સૌથી પહેલા આવે છે. કહેવામાં આવે છે કે મુકેશ અંબાણી જ એવા માણસ છે જેમણે પેટ્રો કેમિકલનાં બિઝનેસને ચમકાવ્યું છે કે તેમાંથી નીકળતી પ્રોડક્ટ્સ પર સોના જેવો લાભ મળે. રિલાયંસ પેટ્રો કેમિકલ એ તમામ કંપનીઓમાં સામેલ છે, જેણે ક્યારેય નુકસાન જોયું નથી. ઉતાર - ચઢાવ આવ્યા જરૂર, પણ ફળ હંમેશા સારું જ રહ્યું છે.
જન્મદિવસની આ ખાસ તક પર આવો મુકેશ અંબાણીની અમુક એવી સિદ્ધિઓ વિષે જાણીએ, જે વિષે આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ. ખાસ કરીને તેમને જેઓ બિઝનેસ કરવા માંગે છે.
ત્યાંથી વાતની શરૂઆત કરીએ જ્યારથી મુકેશ અંબાણીએ કેમિકલ એન્જિનીયરીંગની ડિગ્રી લઇ લીધી હતી. ત્યાર બાદ તેઓ દુનિયાની મશહૂર સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં એમબીએ કરવા માંગતા હતા. ત્યારે તેઓ અમેરિકામાં જ રહેતા હતા અને એમબીએ કોર્સ પણ તેમણે શરુ કરી દીધો હતો. તેમના પિતાએ મુકેશ અંબાણીને મુંબઈ પોતાને કામમાં મદદ કરવા બોલાવી લીધા હતા. આ વાર્તા ખૂબ જ દિલચસ્પ છે. મુકેશ અંબાણી મુંબઈ પાછા ફર્યા અને પોતાના પિતા સાથે રિલાયન્સ પેટ્રોલિયમની શરૂઆત કરી. શરૂઆતથી જ આ કંપનીને સફળતા મળી હતી. આ જ કારણ છે કે રિલાયન્સ પેટ્રો કેમિકલથી કેમિકલ ઓછું પણ સોનું વધારે મળે છે. અહી સોનાનો અર્થ છે પ્રોફિટ.
અંબાણી પરિવારનું ઘર
ઇન્ટરનેટ પર એવી તમામ સ્ટોરી મળી જશે જેમાં મુકેશ અંબાણી અને અંબાણી પરિવારની સફળતા વિષે વાત કરવામાં આવી હોય. મુકેશ અંબાણીનો પરિવાર પહેલા મુંબઈનાં ભૂલેશ્વરમાં 2 રૂમના ઘરમાં વસતો હતો. ત્યાર બાદ તેમના પિતાએ કોલાબામાં 14 માળની બિલ્ડીંગ ખરીદી જેનું નામ સી-વિંડ હતું. આ ઘરમાં મુકેશ અંબાણી અને પરિવારનાં અન્ય સદસ્યોએ પોતાના જીવનના ઘણા વર્ષો વિતાવ્યા. મુકેશ અંબાણીનાં ભણતર વિષે વાત કરીએ તો તેમણે ઇન્સ્ટીટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈથી જ કેમિકલ એન્જિનીયરીંગમાં ડીગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં એમબીએ શરુ કર્યું હતું.
કેવી રીતે પાછા ફર્યા ભારત
તે સમયે ભારત સરકારે પોલિસ્ટર ફિલામેન્ટ યાર્નની મંજૂરી આપી હતી, જેનો વ્યવસાય રિલાયન્સે શરુ કરવાની તૈયારીઓ કરી હતી. ત્યારે ટાટા, બિરલા સહીત 43 કંપનીઓએ અના લાયસન્સ માટે બોલી લગાવી હતી, પરંતુ સફળતા રિલાયન્સને જ મળી. લાયસન્સ મળતા જ મુકેશ અંબાણીને તેમના પિતાએ અમેરિકાથી ભારત આવવા કહ્યું હતું. મુકેશ અંબાણી ભારત આવી પણ ગયા અને 1981માં ફેક્ટરી સ્થાપિત કરવામાં લાગી ગયા. ત્યારે જઈને રિલાયન્સ પેટ્રો કેમિકલ્સની શરૂઆત થઇ. આજે અ કંપની પોલીમર્સ, ઈલાસ્ટોર્મ, પોલીએસ્ટર, ફાઈબર સાથે જોડાયેલા સામાન બનાવે છે. આ કંપનીએ એટલું નામ અને પૈસા બનાવ્યા કે તેના શેર મેળવવા માટે લોકો નજરો જમાવીને બેઠા હતા.
રિલાયન્સની ખાસ કંપનીઓ
મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ આગળ વધતું જ ગયું અને આ કંપનીએ રિલાયન્સ ઇન્ફોકોમ લિમિટેડ બનાવ્યું, જેનું નામ હવે રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ છે. ભારતની સૌથી મોટી કંપનીઓમાં તેનું નામ પણ છે. 2008માં આ કંપનીએ પોતાની ક્રિકેટ ટીમ પણ ખરીદી અને તેના પર 111.9 લાખ ડોલર ખર્ચ કર્યા. આ ટીમનું નામ મુંબઈ ઇન્ડિયન્સ છે. આ ટીમ IPLનો હિસ્સો છે અને શરૂઆતથી જ લાઈમલાઈટમાં રહી છે.
જામનગરમાં કરી કમાલ
મુકેશ અંબાણીએ બેંક ઓફ અમેરિકા કોર્પોરેશનનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને ઇન્ટરનેશનલ એડવાઈઝરી બોર્ડ ઓફ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં કામ કર્યું છે. તેમણે IIMBનાં અધ્યક્ષનાં રૂપમાં પણ કામ કર્યું છે. મુકેશ અંબાણીના નામ પર એક હજુ મોટો રેકોર્ડ છે, અને એ છે તેમણે પાયાનાં સ્તર પર જામનગરમાં દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. હવે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે સાઉથ બોમ્બેમાં દુનિયાની સૌથી મોંઘી 400,000 ફૂટ ઉંચી ઈમારત 'એન્ટિલા'માં રહે છે.