રવિવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે.આ સાથે જ કેટલીક રાશિના જાતકોએ સાવધાની રાખવાની પણ જરૂર રહે છે. આજનો શુભ રંગ લાલ અને નારંગી છે. આજે સૂર્યદેવને અર્દ્ય આપવાથી શુભફળ મળે છે. ગોળનો વપરાશ ઓછો કરવાની સાથે સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. રવિવારના દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ મધ્યમ રહે. આપનું મન આજે પ્રસન્ન રહેશે. આકસ્મિક લાભનાં યોગ છે. મીત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક તનાવ જણાય. જમીન મકાનનાં કામ આજે હાથમાં લેવા નહીં, મુશ્કેલી જણાય. આજનાં દિવસે કાર્યક્ષેત્રે વાતાવરણ અનુકૂળ. દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય.