લૉકડાઉનની વચ્ચે પણ દેશમાં કોરોના વાયરસસે હાહાકાર મચાવ્યો છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં 160થી વધુ કેસ નોંધાયા છે અને આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 900ને પાર પહોંચી છે. દેશમાં કોરોના વાયરસથી 22 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 55 પહોંચી છે જેમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો આ મામલે રાજ્યના ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અસરથી એક બેઠક પણ બોલાવી હતી અને દેશની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી.
ભારતમાં કુલ કેસની સંખ્યા 900, કુલ મૃત્યુઆંક 22 થયો
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
આંધ્રપ્રદેશમાં રાજસ્થાનનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ
A 23-year-old man from Rajasthan has tested positive for COVID19 in Andhra Pradesh. He is stable and being treated at GGH Kurnool: Kurnool District Collector, Andhra Pradesh
રાજસ્થાનનો એક 23 વર્ષીય વ્યક્તિ જે આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવ જાહેર કરાયો છે. તેની હાલત સ્થિર છ અને જીજીએક કુરનૂલમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે. આ જાણકારી કુરનૂલ જિલ્લા કલેક્ટરે આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આજે કોરોનાના કુલ 28 કેસ
The total number of Coronavirus cases in the state is 28 including 25 active cases of which 21 are in Kashmir division and 4 in Jammu division. Our teams have been consistently trying to trace every single contact and test them: Rohit Kansal, Principal Secretary-Planning, J&K pic.twitter.com/88i4cuoL7E
જમ્મુ-કાશ્મીરમાં આજે કોરોના વાયરસના કુલ 28 કેસ સામે આવ્યા છે. જેમાં 25 એક્ટિવ કેસ છે. જે પૈકી 21 કિસ્સા કાશ્મીર ડિવિઝનમાં અને 4 જમ્મુ ડિવિઝનમાં જોવા મળ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 28 કેસ
Total no. of COVID19 patients in the state is at 181, after 28 new patients found positive today. Till now, a total of 26 patients have recovered/discharged. 104 tests found negative for COVID19 today: Maharashtra Government
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ મામલાની સંખ્યા વધીને 181 થઇ ગઇ છે. જો કે, આ વચ્ચે આજે કોરોનાના 104 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
દિલ્હીમાં લોકડાઉન વચ્ચે દિલ્હીના મજૂરો વતન પરત ફરવા મોટી સંખ્યામાં ભેગા થયાં
#WATCH Migrant workers in very large numbers at Delhi's Anand Vihar bus terminal, to board buses to their respective home towns and villages pic.twitter.com/4nXZ1D1UNn
દેશવ્યાપી લોકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરોમાં પોતાના વતન પરત ફરવાની હોડ જામી છે. આનંદ વિહાર બસ ટર્મિનલ પર હજારોની સંખ્યામાં લોકો બસની રાહ જોતા ઉભા રહ્યા હતા.
નોઈડામાં 5 નવા કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. આ પછી દર્દીઓના ઘર સીલ કરી દેવામાં આવ્યા છે. દૈનિક મજૂરી કરનારાને રાહત આપનારા નોઈડા ડીએમ બીએન સિંહે મકાન માલિકોને નિર્દેશ આપ્યા છે. રાષ્ટ્રીય આપદા અધિનિયમ 2005ની કલમ 51ના આધારે એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે. આદેશનું ઉલ્લંધન કરવાની સ્થિતિમાં જાનમાલનું નુકસાન થઈ શકે છે. આ સમયે 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ આદેશ એક મહિનાના ભાડાને નહીં લેવાનું પણ જાહેર કરાયું છે.
A 69-year-old man died due to #Coronavirus, at Kochi Medical College today: Ernakulam District Medical Officer Dr NK Kuttappan
દેશમાં કોરોના વાયરસથી કેરળમાં પહેલું મોત થયું છે. અહીંની કોચ્ચિ મેડિકલ કોલેજમાં 69 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. તેમનો મૃતદેહ કોરોના પોઝિટિવ હતો. તેમને સારવાર માટે ઉપરોક્ત હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.
સીએમ કમલનાથ પણ થયા ક્વોરેન્ટાઈન
મધ્યપ્રદેશમાં એક પત્રકારની વિરુદ્ધમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પત્રકારની દીકરી લંડનથી આવી હતી અને તેને ક્વોરેન્ટાઈન રહેવાના આદેશનું ઉલ્લંઘન કરીને તે પ્રેસ કોન્ફરન્સમાં આવતા તેની પર કાર્યવાહી કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સ સીએમ કમલનાથની હોવાના કારણે તેઓ પણ હાલમાં ક્વોરેન્ટાઈન છે.
દિલ્હીમાં 600 સ્કૂલોને નાઈટ શેલ્ટર બનાવાઈ
દૈનિક વેતન કમાતા મજૂરોને રહેવા અને ખાવા પીવાની મુશ્કેલીઓને નિવારવા માટે દિલ્હીમાં શાળાઓમાં ફોરી નાઈટ શેલ્ટર બનાવાયા છે. અહીં આ મજૂરો રહી શકે છે અને ખાઈ પણ શકે છે.
લુધિયાણામાં પણ જોવા મળી દવાઓની અછત
પંજાબના લુધિયાણામાં મેડિકલ સ્ટોરના માલિકનું કહેવું છે કે તેમી પાસે હવે દવાઓ ખતમ થઈ છે. આ સ્થિતિ નિર્ણાયક છે. આવનારા 2 દિવસમાં પાસ તૈયાર થતાં અમે ઘરે ઘરે જઈને દવાઓ આપશે.
Ludhiana admn told us that wholesalers won't open their shops but supply medicines door to door. Within 3-4 days passes will be issued to all. Then we'll home deliver medicines to customers&wholesalers will supply to retailers: Punjab Chemists' Assn general secretary GS Chawla https://t.co/D0jYLzHycvpic.twitter.com/eZuh3OKQ4W
ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે અને હાલમાં તે ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. હાલમાં જ ગુજરાતમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને કુલ સંખ્યા 53 થઈ છે. ગુજરાતમાં નવા 6 કેસમાંથી અમદાવાદના 3 પોઝિટિવ કેસ છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 3 નવા પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોના સંક્રમિત કુલ કેસ 18 થયા છે.
મહારાષ્ટ્રમાં વધુ વકર્યો કોરોના
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6 કેસ નોંધાયા છે. સાથે જ મુંબઇમાં 5 અને નાગપુરમાં 1 કેસ નોંધાયો છે.
6 new #Coronavirus positive cases found in the state today - 5 in Mumbai and 1 in Nagpur. The total number of positive cases in the state rises to 159: Maharashtra Health Ministry pic.twitter.com/OoQuIb1GOq
વડોદરામાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાયો. UKથી આવેલા દર્દીના ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વડોદરામાં કોરોના પોઝિટિવના કુલ 9 કેસ થયા.
એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકો માસ્ક પહેરી રહ્યા છે. આ સમયે મધ્યપ્રદેશમાં કેટલાક રાજકારણીઓ તેમના કપડાં સાથેના મેચિંગ માસ્કમાં જોવા મળ્યા હતા.
मैचिंग के मास्क:
कोरोना से मप्र में मौते हो रही हैं, 21 दिन का लॉकडाउन है, कई ज़िलों में कर्फ़्यू है, लोग घरों में क़ैद हैं और मप्र के सीएम कपड़ों से मैच होते मास्क पहन रहे हैं।
4 more persons have tested positive for #COVID19 in Madhya Pradesh, 3 are from Indore and 1 from Ujjain. 3 men from Indore are of ages- 60 years, 42 years and 23 years. The man from Ujjain is 23-year-old: Mahatma Gandhi Memorial Medical College, Indore
નોઇડામાં આવશ્યક વસ્તુઓની ડોર ટુ ડોર ડિલીવરી માટે 1500 ડિલીવરી છોકરાઓ હશે. નોઇડા ઓથોરિટીએ ઇ-કોમર્સ માટે 260 ફાર્મસી, 450 કરિયાણા અને ડિલીવરી બોયઝ નક્કી કરી છે. નોઇડામાં આજથી જ જરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરી શરૂ થશે.
नोएडा प्राधिकरण द्वारा क्षेत्र में सबसे मुख्य कार्य शहर की सफाई और सैनिटाइजेशन का किया जा रहा है। 260 लोगों को दरवाजे पर आवश्यक वस्तुओं की डिलीवरी की अनुमति दी गई। 85 दवा की दुकानों और ग्रोसरी दुकानों की सूची बनाई है जो घर पर ही डिलीवरी करेंगे :रितु माहेश्वरी, CEO,नोएडा प्राधिकरण pic.twitter.com/JiWXL8fMz1
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી. તેમણે COVID-19 ના ફેલાવાને રોકવા રાજ્ય સરકારે લીધેલા પગલાઓની પ્રશંસા કરી. આ સાથે કોરોના વાયરસ ફાટી નીકળવાની પૃષ્ઠભૂમિ સામે મોદીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો પણ હિસ્સો લીધો. બંને નેતાઓ વચ્ચે લગભગ 10 મિનિટની વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ બેનર્જીને ફોન કરીને રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
દેશભરના મોટા શહેરોમાંથી સ્થળાંતર કરનારા મજુર કામદારોનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં નિર્દેશો મેળવવા માટે જાહેર હિતનો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન થવાને કારણે હજારો પરપ્રાંતિય મજૂરો તેમના પરિવારો સાથે સેંકડો કિલોમીટર ચાલે છે. આમાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને અપંગો પણ શામેલ છે. તેમની પાસે ન તો રહેવાની સગવડ છે કે ન તો પીવા ખાવાની સામગ્રી. તેમને માટે શેલ્ટર હોમની સુવિધાની પણ માંગણી કરી છે.
કર્ણાટકમાં 20મું મોત
કોરોનાવાઈરસના કારણે દેશમાં શુક્રવારે કર્ણાટકના તુમકુરમાં 20મું મોત થયું છે. સંક્રમિત વ્યક્તિની ઉંમર 65 વર્ષ હતી. તે 5 માર્ચે દિલ્હી ગયો હતો અને 11 માર્ચે પાછો આવ્યો હતો.
27 માર્ચ સુધી દેશમાં 724 કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી 724 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 66 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.વાઈરસની આ ગંભીર મહામારી વચ્ચે શિરડીના શ્રી સાઈબાબા સંસ્થા ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
દિલ્હીમાં કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર છે સરકારઃ કેજરીવાલ
કોરોના વાયરસના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મીડિયાને સંબોધન કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કેસ ઘટ્યો છે, પરંતુ જો પરિસ્થિતિ વધુ વણસે તો અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. કોરોનાના કેસ દરરોજ 100, 500 અથવા 1000 સુધી વધે છે, તો અમે અલગ રીતે તૈયારી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં ફસાયેલા તમામ લોકોની જવાબદારી પણ આપણી છે, તેથી કોઈએ ચિંતા ન કરવી જોઈએ.