જો તમને ગળ્યું ખાવાનો શોખ છે પરંતુ બિમારીને ડરને કારણે કંટ્રોલ કરો છો તો ગોળ તમારા માટે એક ફાયદાકારક વિકલ્પ છે. ગોળ ખાવાથી ઘણા ફાયદા મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી હોતો. પરંતુ જો ગોળને દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. ગોળ અને દૂધમાં ઘણાં મિનરલ્સ મળી રહે છે જે શરીરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. ગોળમાં રહેલું આયરન અને દૂધમાં રહેલું કેલ્શિયમ માંસ-પેશીઓને અને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે જેથી આ બંનેનું સાથે સેવન કરવું જોઇએ...
દૂધમાં વધારે માત્રામાં વિટામિન A B અને Dના સિવાય કેલ્શિયમ પ્રોટીન અને લેક્ટિક એસિડ મળે છે. જ્યારે ગોળમાં સારા માત્રામાં સુક્રોઝ ગ્લૂકોઝ અને ખનિજ તત્વો મળે છે. જાણો રોજ ગોળ અને દૂધ સાથે લેવાના ફાયદાઓ વિશે...
- ગોળ પાચન તંત્રની બિમારીઓથી બચાવે છે. ખાવામાં સરળતાથી પચી જાય છે અને પેટમાં ગેસ બનવા દેતો નથી. ખાસ કરીને શિયાળામાં થનારી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ આરામ આપે છે. દરરોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસમાં હૂફાળાં દૂધમાં ગોળને મિક્સ કરીને જરૂરથી સેવન કરો.
- શિયાળામાં અસ્થમાના દર્દીઓને ઘણી મુશ્કેલીઓ આવે છે. હવામાં ઓક્સિજન ઓછું હોય છે અને પ્રદુષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શિયાળામાં ઉધરસ અને કફને કારણે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. એવાં શરીરને ગરમ રાખવામાં અને કફને દૂર કરવા માટે દૂધ-ગોળનું સેવન કરો. તમે ઇચ્છો તો ગોળ અને કાળા તલના લાડું બનાવીને દૂધ સાથે સેવન કરી શકો છો.
- દરરોજ દૂધ અને ગોળ સાથે લેવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કેમકે દૂધમાં મળતું વિટામિન D અને કેલ્શિયમ અને ગોળમાં રહેલું આયરન સાધાંને મજબૂત કરે છે. તમે ઇચ્છો તો ગોળના નાના ટૂકડાને આદું સાથે ખાવાથી પણ ફાયદાકારક રહેશે.
- ગોળ શરીરને લોહીને સાફ કરવાનું કામ કરે છે. ગોળ લોહીમાં રહેલા હિમોગ્લોબીન કાઉન્ટને વધારવાની સાથે ઇમ્યૂનિટી પણ વધારે છે. આ માટે પીરિયડ્સ દરમિયાન ગોળ અને દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
- ગોળ મધ જેટલું જ ફાયદાકારક હોય છે. કેમકે ગોળને કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે. આજ કારણથી તે ખાંડ કરતા વધારે ફાયદાકારક છે. શરીર ઉતારવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધની સાથે ગોળ જરૂરથી ખાવો.