જો પિતૃઓ નારાજ થઈ જાય, તો આપણા શુભ કાર્યોમાં પણ અડચણો આવવા લાગે છે. જાણો એવા ક્યા સંકેતો છે જેથી જાણી શકાય કે પિતૃઓ નારાજ છે.
જો પિતૃઓ નારાજ થઈ જાય તો શુભ કાર્યોમાં પણ અડચણો આવે છે
વારંવાર પૂર્વજો સપનામાં આવે છે
કારણ વિના ઘરમાં દુર્ગંધ આવે છે
જો પિતૃઓ નારાજ થઈ જાય તો શુભ કાર્યોમાં પણ અડચણો આવે છે
હિન્દુ ધર્મમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ- શ્રાદ્ધ વગેરે કર્મ કરવા માટે 15 દિવસ પિતૃ પક્ષને સમર્પિત કરવામાં આવ્યા છે. માન્યતા છે કે આ 15 દિવસો દરમિયાન પિતૃ પૃથ્વી પર આવે છે. એટલા માટે આ દરમિયાન, 15 દિવસ સુધી પૂર્વજોને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન ઉપાય કરવામાં આવે છે. જો પિતૃ નારાજ થઈ જાય તો જીવનમાં ઘણા સંકટ આવી જાય છે. આજે અમે તમને એવા જ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જણાવે છે કે પિતૃ નારાજ છે.
પિતૃનાં નારાજ હોવાનાં સંકેતો
જો મૃતકોનાં અંતિમ સંસ્કાર વિધિ અનુસાર ન થાય, પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ ન કરવામાં આવે, પિંડદાન ન કરવામાં આવે, ઓટ વ્યક્તિ પર પિતૃ દોષ લાગે છે. ઘણી વાર પૂર્વ જન્મથી પણ પિતૃ દોઢ આવે છે. પિતૃ દોષના લક્ષણો જીવનમાં જોવા મળે છે.
પિતૃ દોષને કારણે વ્યક્તિને મહેનત કર્યા બાદ પણ ફળ મળતું નથી. તે તણાવમાં રહે છે, વેપારમાં નુકસાન થાય છે, કરિયરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પિતૃ દોષને કારણે ઘરના લોકોનાં વૈવાહિક જીવનમાં સમસ્યા આવી શકે છે. અવિવાહિતોનાં વિવાહમાં મુશ્કેલીઓ આવે છે.
પૂજા પાઠનું શુભ ફળ મળતું નથી. ઘરનાં એક જ સદસ્યનાં ભોજનમાં વારંવાર વાળ આવે છે. બહાર પણ જામે તો પણ ભોજનમાં વાળ આવે છે.
વગર કારણે ઘરમાં દૂર્ગંધ આવે છે. ઘરનાં લોકોને પણ દૂર્ગંધ આવવાનું બંધ થઈ જાય છે, પણ બહારના લોકોને આવે છે.
સપનામાં વારંવાર પૂર્વજોનું આવવું, રડવું અથવા કંઇક સંકેત આપવા
શુભ કાર્યોમાં મુશ્કેલીઓ પડવી, તહેવારોને દિવસે ઝઘડાઓ થવા કે કોઈ અશુભ ઘટનાઓ બનવી અને ખુશીના અવસર પર દુઃખ મળવું.