બિહારના બેગૂસરાય લોકસભા સીટથી ભાજપાના દિગ્ગજ નેતા ગિરિરાજસિંહની સામે લોકસભા ચૂંટણી લડી રહેલા કનૈયા કુમાર પાસે કોઇ ઘર કે ગાડી નથી. તેમની પાસે વારસાગતમાં મળેલી થોડીક જમીન જ છે. જ્યારે તેમના ખાતામાં રૂપિયા 1 લાખ 70 હજાર જ છે.
બિહારના બેગૂસરાય લોકસભા સીટથી કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(CPI)ની ટિકિટ પર કેન્દ્રિય મંત્રી અને ભાજપાના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજસિંહની સામે લોકસભા ચૂંટણી લડી રહેલા કનૈયા કુમાર પાસે કોઇ ઘર કે ગાડી નથી. તેમની જોડે બેગૂસરાયના બીહટ ગામમાં વારસામાં મળેલી માત્ર 1.5 એકર ગેર કૃષિ યોગ્ય જમીન છે. કનૈયાએ ગઇકાલે તેમની ઉમેદવારી નોધાવી છે, જેમાં આપેલા સોગંદનામા મુજબ કનૈયા કુમાર બેરોજગાર છે, પરંતું સ્વતંત્ર લેખનનું કામ કરે છે.
કનૈયા કુમારે જણાવ્યું કે, તેમને પુસ્તકોની રોયલ્ટી અને લેક્ચર આપવાના બદલામાં મહેનતાણું મળે છે. કનૈયાના સોગંદનામાં મુજબ તેના એક બેંક એકાઉન્ટમાં માત્ર 50 રૂપિયા જમાં છે, જ્યારે બીજા બેંક એકાઉન્ટમાં 1 લાખ 70 હજાર 150 રૂપિયા છે.
ઉમેદવારીમાં આપેલા એફિડેવિટ મુજબ, વર્ષ 2017-18માં કનૈયાની કુલ આવક 6 લાખ 30 હજાર 360 રૂપિયા હતી, જે આગલા વર્ષે એટલે કે, 2018-19માં ઘટીને 2 લાખ 28 હજાર 290 રૂપિયા થઇ. સોગંદનામાં મુજબ કનૈયા પર ધાર્મિક કામો બગાડવામાં, ગેરકાયદેસર સભાઓ કરવામાં અને સરકારી કામો બગાડવામાં ધારા 124A હેઠળ કુલ પાંચ અપરાધિક ફરીયાદો નોધાઇ છે. તમને જણાવીએ કે. 32 વર્ષીય કનૈયા જેએનયૂ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ છે. ફેબ્રુઆરી 2016માં તેમને જેએનયૂ પરિસરમાં દેશ વિરોધી ગતિવિધિયોમાં સાથિયો સાથે ધરપકડ કરવામાં આવી હતી.