ઝારખંડમાં છિન્નમસ્તિકા માતાજીનું મંદિર છે, જ્યાં માથા વિનાના માતાજીની મૂર્તિ જોવા મળે છે.
ઝારખંડમાં છે માથા વિનાના માતાજીનું મંદિર
છ હજાર વર્ષ જુનો છે ઈતિહાસ
રાત્રે મંદિરમાં ભ્રમણ કરે છે માતા
દેશમાં ચૈત્રી નવરાત્રી મનાવવામાં આવી રહી છે . આજે ત્રીજા દિવસે મા દુર્ગાનાં ચંદ્રઘંટા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. સવારથી જ માતાનાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. લાલ ફૂલ અને લાલ ચુંદડીથી માનું પૂજન કરવામાં આવે છે. આ અવસર પર ઝારખંડનાં છિન્નમસ્તિકા દેવી મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. રાજધાનીથી લગભગ 80 કિલોમીટર દૂર રામગઢ જીલ્લાના રજરપ્પામાં આ મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. અહી મા માથા વગર જ બિરાજેલા છે અને આ માનું કામાખ્યા મંદિર બાદ દુનિયાનું બીજું સૌથી મોટું શક્તિપીઠ છે.
માથા વિનાના માતાજી
રજરપ્પાનાં ભૈરવી-ભેડા અને દામોદર નદીનાં સંગમ પર મા છિન્નમસ્તિકાનું મંદિર સ્થિત છે. આમ તો અહી આખું વર્ષ શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળે છે, પરંતુ નવરાત્રીનાં સમયે અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિરમાં માતાજી માથા વગર જ બિરાજેલા છે.
ગળામાંથી વહી રહી છે લોહીની ધારા
મંદિરમાં માતાની મૂર્તિમાં જોઈ શકાય છે માતાજીનું કપાયેલું માથું તેમના હાથમાં છે, અને તેમના ગળામાંથી લોહીની ધારા પ્રવાહિત થઇ રહી છે. શિલાખંડમાં દેવીની ત્રણ આંખો છે. ગળામાં સર્પમાળા અને મુંડમલ જોવા મળે છે. માતાજીનાં વાળ ખુલ્લા છે અને જીભ બહાર નીકળેલી છે. માતાજી નગ્નાવસ્થામાં કામદેવ ને રતિ પર ઉભેલા છે. તેમના જમણા હાથમાં તલવાર છે.
શું છે માથા વિનાના માતાજીની વાર્તા?
માતાનાં અહી બિરાજમાન થવા પાછળ એક પૌરાણિક કથા છે. જે કથા અનુસાર, એક વાર માતા ભવાની પોતાની બે સખીઓ સાથે મંદાકિની નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કર્યા બાદ તેમની સખીઓને ભૂખ લાગી હતી. ભૂખ વધવાથી તેમનો રંગ કાળો પડી ગયો. તેમણે માતાજી પાસે કંઈક ખાવા માટે માંગ્યું. સખીઓને તડપતી જોઈ માએ તલવારથી પોતાનું માથું કાપી નાંખ્યું. આ વાર્તા અનુસાર, ત્યાર બાદ માતાજીનું કપાયેલ માથું તેમના હાથ પર આવી ગયું અને લોહીની ધારા વહેવા લાગી. માતાજીએ માથામાંથી નીકળેલ એ બે લોહીની ધારા પોતાની સખીઓ તરફ વહાવી દીધી. ત્યારથી જ તેમનાં આ રૂપને છિન્નમસ્તિકાનામથી ઓળખવામાં આવે છે.
છ હજાર વર્ષ જુનો છે ઈતિહાસ
આ મંદિરનો ઈતિહાસ છ હજાર વર્ષ જુનો છે. માતાજીનું વર્ણન પુરાણોમાં પણ મળે છે. મંદિરની નિર્માણકળા તેના પ્રાચીન હોવાની સાબિતી છે. કહેવામાં આવે છે કે મંદિરનું નિર્માણ મહાભારત સમયે જ કરાવાયું હતું. આ મંદિર સિવાય સાત બીજા મંદિર પણ છે, જેમાં મહાકાળી મંદિર, સૂર્ય મંદિર, દસ મહાવિદ્યા મંદિર, બાબાધામ મંદિર, બજરંગબલી મંદિર, શંકર મંદિર અને વિરાટ રૂપ મંદિર પણ સામેલ છે. પશ્ચિમ દિશાથી દામોદર અને દક્ષિણ દિશાથી ભીઅરવી નદી અહી વહે છે.
રાત્રે મંદિરમાં ભ્રમણ કરે છે માતા
માનવામાં આવે છે કે અહી માતા છિન્નમસ્તિકા પ્રગટ થાય છે અને ભ્રમણ કરે છે. આ જ કારણ છે કે રાતનાં સમયે એકાંત જોવા મળે છે અને ઘણા સાધકો તંત્ર મંત્રની સિદ્ધિ પ્રાપ્તિમાં લાગી જાય છે. નવરાત્રીનાં સમયે મોટી સંખ્યામાં સાધુ સંતો અહી આવે છે અને મંદિરમાં 13 હવાન કુંડોમાં વિશેષ અનુષ્ઠાન કરી સિદ્ધિની પ્રાપ્તિ કરે છે.
શું છે પરંપરા?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સ્થાન માતાજીનું છેલ્લું વિશ્રામ સ્થળ પણ છે. અહી ચૈત્ર નવરાત્રીની સપ્તમી તિથિમાં સવારે ઉઠીને બકરાની બાલી ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ કપાયેલા માથા ઉપર કપૂર રાખીને આરતી કરવામાં આવે છે.