દેશ અને દુનિયામાં દેવી-દેવતાઓના જેટલા પણ મંદિરો છે તેના પર ભક્તોને ખુબ જ શ્રદ્ધા છે. ભક્તો પીડાથી મુક્તિ મેળવવા માટે ભગવાનનો સહરો સતત શોધતા રહે છે અને સમુદ્ધ જીવન મળવાની પ્રાર્થના કરે છે. પરંતુ અમે આપને એવા મંદિર વિશે આજે જણાવીશું જેના વિશે જાણીને તમને ખરેખર આશ્ચર્ય થશે.
ક્યાં આવ્યું છે આ મંદિર
ઉત્તરખંડના પિથોરાગઢમાં એક એવું શિવમંદિર આવેલ છે જેની સ્થાપના તો કરવામાં આવી છે પરંતુ આ સ્થળે કોઇપણ વ્યક્તિ પૂજા કરતી નથી. કારણ કે, લોકોનું માનવું છે કે, આ મંદિરમાં પૂજા કરવાથી શ્રાપનો સામનો કરવો પડે છે. કહેવામાં આવે છે કે, આ મંદિરમાં શિવજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી નથી.
મંદિરમાં પૂજા નહીં કરવાનું કારણ છે રસપ્રદ
જો કે, આ મંદિરને જોવા માટે શિવભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. પરંતુ અહીં કોઇ વ્યક્તિ પૂજા કરતી નથી. લોકો અહીં આવીને મંદિરની કળાને કોતરણીને જુવે છે અને કહેવામાં આવે છે કે, જે શિલ્પકારે આ મંદિર બનાવ્યું હતું તેને એક હાથ નહોંતો અને તેણે એકલાએ બનાવ્યું હતું આ મંદિર. એક હાથના ઉપયોગ થકી આ મંદિર નિર્માણ પામેલ હોવાથી આ મંદિરનું નામ હથિયા દેવાલ પડી ગયું છે.
મંદિરને લાગ્યો છે વાસ્તુદોષ
મોટી શિલાને કાપીને મંદિરને અને શિવલીંગને બનાવવામાં આવ્યું છે. જો કે, મંદિર બનાવતી વખતે શિલ્પકારે શિવલિંગનું સ્થાપન ઉંધી દિશામાં કરેલ તેથી લિંગને વાસ્તુદોષ લાગ્યો અને આ કારણસર જ કોઇપણ વ્યક્તિ અહીં પૂજા-અર્ચના કરતી નથી.