અગ્નિનો આપણા સ્વાસ્થ્ય, યશ અને સંપન્નતા પર ઘણો પ્રભાવ પડે છે. વાસ્તુમાં અગ્નિ તત્વને યોગ્ય રીતે સંચારિત થવા માટે કિચન અગ્નેય (દક્ષિણ-પૂર્વ) ખૂણામાં હોવું શાસ્ત્રસમ્મત માનવામાં આવે છે. જો કોઇ કારણસર એવું શક્ય ન હોય તો રસોડું પૂર્વમાં પણ બનાવી શકાય છે. રસોડુ ભૂલથી પણ ઉત્તર-પૂર્વમાં ન બનાવવું જોઇએ. તેનાથી માનસિક તણાવ વધે છે. સાથે સાથે ખાણીપીણીનો ખર્ચ પણ અનેક ગણો વધી જાય છે.
રસોડુ ભૂલથી પણ ઉત્તર-પૂર્વમાં ન બનાવવું જોઇએ
નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ખૂણામાં કિચન સારું માનવામાં આવતુ નથી
ઇલેક્ટ્રિક સાધનો અગ્નિ ખૂણામાં કે દક્ષિણમાં રાખવા
નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ખૂણામાં કિચન સારું માનવામાં આવતુ નથી. તેનાથી ગૃહ કલેશ, પરેશાની અને દુર્ઘટનાનો ભય રહે છે. આ રીતે વાયવ્ય (ઉત્તર-પશ્વિમ) ખૂણામાં કિચન ખર્ચ વધારનારું માનવામાં આવે છે. તે આગની દુર્ઘટનાઓ પણ આપી શકે છે.
જે ઘરમાં કિચન વાયવ્ય ખૂણામાં હોય અને ત્યાં ઘરની વહુઓ કામ કરતી હશે તો તેનું મન રસોઇમાં નહી લાગે અને તે એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતી જોવા મળશે. તેથી જો અગ્નિ ખૂણામા રસોઇની વ્યવસ્થા ન થઇ શકે તો પૂર્વ કે વાયવ્ય કોણ ઠીક રહે છે, પરંતુ આ સ્થિતિમાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે કિચન ભલે ગમે ત્યાં હોય, ભોજન અગ્નિ ખૂણામાં જ હોવું જોઇએ. તેનાથી બગડતા કામ પણ બની શકે છે.
કિચનના જે પ્લેટફોર્મ પર ગેસની સગડી રાખવામાં આવે છે, તે પૂર્વ કે અગ્નિ કોણમાં હોય તો સારું રહે છે, કેમકે આવામાં કિચનમાં કામ કરનાર વ્યક્તિનું મુખ પૂર્વ દિશા તરફ હોય છે. પાણીની પાઇપ, વોશ બેસિન, પીવાનું પાણી વગેરે કિચનના ઇશાન ખૂણામાં હોય તો સારું ગણાય છે. આ ઉપરાંત ફર્શ પરનો ઢાળ ઉત્તર-પૂર્વ તરફ હોવો જોઇએ અને જો ફ્રિઝ કિચનમાં રાખવાનું હોય તો તેને પશ્ચિમની દિવાલ સાથે રાખવું ઠીક રહે છે. ઇલેક્ટ્રિક સાધનો જેમકે મિક્સર, ટોસ્ટર, ઓવન વગેરે અગ્નિ ખૂણામાં કે દક્ષિણમાં રાખવાની સલાહ અપાય છે.
કિચનમાં કામ કરતી સ્ત્રીની પીઠ રસોઇના પ્રવેશદ્વાર તરફ ન હોવી જોઈએ
કિચનનો સામાન રાખવા માટે સ્લેબ કે માળિયું દક્ષિણ કે પશ્ચિમ દિશામાં બનાવવું યોગ્ય રહે છે. દાળ, અનાજ અને મસાલાના સ્ટોરેજની વ્યવસ્થા વાયવ્ય કોણમાં કરવી જોઇએ. જો કોઇ પણ કારણસર પ્રાકૃતિક રોશનીનો અભાવ હોય તો કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા કરવી જોઇએ. કિચનમાં કામ કરતી સ્ત્રીની પીઠ રસોઇના પ્રવેશદ્વાર તરફ ન હોય તો સારું માનવામાં આવે છે.
ગેસ કે સ્ટવ ઘરના મુખ્ય દ્વારની બહારથી દેખાવો જોઇએ નહીં
ગેસ સ્ટવ પરિવારમાં ધન અને સમૃદ્ધિ લાવે છે, તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તે ગંદુ રાખવામાં આવે તો ઘરની સુખ-સમૃદ્ધિ પર ખરાબ અસર પડી શકે છે. તમારા પરિવારના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી શકે છે. ગેસ કે સ્ટવ ઘરના મુખ્ય દ્વારની બહારથી ન દેખાવો જોઇએ. કિચન કોઇ પણ કિંમતે ટોઇલેટની ઉપર કે નીચે તથા સીડીઓની નીચે ન બનાવવું જોઇએ. કિચન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, સાથે ધન અને ભાગ્યને પણ પ્રભાવિત કરે છે.