કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમા તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવી શકે છે. આ કેસમાં હવે ED પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને મૌલાનાની પૂછપરછ કરવાની છે.
કિશનના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
હત્યારાઓના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે
ED પણ હવે આ કેસમાં મૌલાનાની તપાસ કરશે
ધંધુકાના યુવક કિશન ભરવાડની હત્યા મામલે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી રમીઝ સેતા, મહંમદ હુસેન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનની ધરપકડ કરવામાં આવી છે. જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથેજ તેમના 14 દિવસના રિમાન્ડની પણ માગ કરવામાં આવી શકે છે.
વિદેશ ફંન્ડિંગને લઈ થશે પૂછપરછ
આરોપીઓ સાથે હથિયાર અને સંગઠનની મેમ્બરશિપને લઈને પૂછપરછ કરવામાં આવશે. તે સિવાય સેન્ટ્રલ IB અને NIA બાદ હવે ED પણ મૌલાનાની તપાસ કરાવાની છે. ED પણ વિદેશી ફન્ડિંગને લઈને તપાસ કરશે. આ કેસમાં અગાઉ EDએ કટ્ટરવાદી સંગઠનોમાં આવતા નાણા સીઝ કર્યા હતા. કમરગનીને વિદેશથી કેટલું ફન્ડિંગ આવી રહ્યું છે તે અંગે પણ પૂછપરછ થઈ શકે છે.
પાકિસ્તાની સંગઠનને લઈ થશે પૂછપરછ
ગત રાત્રીએ સેન્ટ્રલ એજન્સીઓએ મૌલાનાની પુછપરછ કરવામાં આવી હતી. જેમા પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને પુછપરછ કરવામાં આવી. સાથેજ પાકિસ્તાની સંગઠનમાં સંડોવણીને લઈને પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત તહેરીકએ ફરોકી ઈસ્લામિક સંગઠનની કામગીરીવને લઈને પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમા સેન્ટ્રલ IB અને NIAની ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.
ગઈકાલે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા.
ઉલ્લેખનીય છે કે ધંધુકામાં કિશન ભરવાડના હત્યા મામલે એક એક બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે કુલ 3 આરોપીની ગુજરાત ATSએ ઘરપકડ કરી છે. પોરબંદરથી ઝબ્બે થયેલા આ આરોપીમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. તેઓએ રાજકોટના અજીમ સમાને હથિયાર સપ્લાઈ કર્યા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.